Satya Tv News

કોંગ્રેસના અનેક નેતાઓ પાર્ટી છોડી રહ્યા છે, તો ઘણા નેતાઓ કેસરીયો પણ ધારણ કરી રહ્યા છે. જો આજની વાત કરીએ તો મોરબી જિલ્લાના વધુ 8 કોંગ્રેસ આગેવાને રાજીનામા આપ્યા છે. તાલુકા કોંગ્રેસ પ્રમુખ, માળિયા તાલુકા ઉપપ્રમુખે રાજીનામું આપ્યું છે. માળિયા કારોબારી સભ્ય સહિતના આગોવાનોએ કોંગ્રેસ છોડી છે.

લોકસભા પહેલા કોંગ્રેસના નેતાઓ પક્ષ છોડી રહ્યા છે. આ પહેલા સોમવારે માત્ર 8 કલાકના ગાળામાં કોંગ્રેસના અંબરીષ ડેર બાદ અર્જુન મોઢવાડિયાએ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું હતું. સાથે જ એવા સમાચાર પણ છે કે રાજુલાના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય અંબરીશ ડેર અને પોરબંદરના પૂર્વ ધારાસભ્ય અર્જુન મોઢવાડિયા ભાજપમાં જોડાશે. આજે ગાંધીનગર સ્થિતિ ભાજપ કાર્યાલય કમલમ ખાતે ભરતીમેળામાં આ બંને નેતાઑ સાથે તેમના સમર્થકો પણ કેસરીયો ધારણ કરશે.

error: