Satya Tv News

વાંકાનેરના દિઘલીયા ગામે રહેતા બાવાજી પરિવારની સગીર વયની દીકરીને મોટી બહેનનું ઘર ના તુટે માટે પ્રેમી સાથે વાત કરવાનો ઇનકાર કર્યો હોવા છતાં ફોન પર વાત કરતી પકડાઈ જતાં માતા-પિતા અને મોટી બહેને સગીરાને મોતને ઘાટ ઉતારી દીધી હતી. તેમજ હત્યા કર્યા બાદ હાર્ટ એટેકથી મોત થયાની સ્ટોરી ઉપજાવી કાઢી હતી. જોકે પિતા અને મોટી બહેને હાથ-પગ પકડી રાખ્યા અને માતાએ ઓશિકાથી ટૂંપો દીધો હોવાથી ગળા પર ઈજાના નિશાનો હતા. જેથી પોલીસને શંકા જતાં પોસ્ટમોર્ટમ બાદ આખરે હત્યારા માતાપિતાએ હત્યાનો સ્વીકાર કર્યો હતો. જેને પોલીસે આરોપી પિતાને ઝડપી લઈને વધુ તપાસ ચલાવી છે. જયારે આરોપી માતા અને બહેનની અટકાયત કરવા તજવીજ હાથ ધરી છે.

error: