Satya Tv News

અંકલેશ્વર હાઇવે ઉપર એમ.પટેલ ઇંડિયન પેટ્રોલ પંપ સામે યુ ટર્ન પાસે રોડ ઈકકો કાર ચાલકે બાઇકને ટક્કર મારતા પરપ્રાંતીય યુવાનનું ગંભીર ઇજાઓને પગલે સારવાર દરમિયાન કરૂણ મોત નીપજયું હતું

અંકલેશ્વરના સારંગપુર ગામની પદ્માવતી સોસાયટીમાં રહેતા સાજન છેલા ભરવાડના ટ્રક ડ્રાઈવર અને મધ્ય પ્રદેશના બગદરા ગામના આલેશ રામનારાયણ ગુર્જર ગતરોજ બપોરે જમવા માટે સાજનભાઈની બાઇક નંબર-જી.જે.16.ડી.જે.8322 લઈ જમવા માટે નીકળ્યો હતો તે દરમિયાન અંકલેશ્વર હાઇવે ઉપર એમ.પટેલ ઇંડિયન પેટ્રોલ પંપ સામે યુ ટર્ન પાસે પુરપાટ ઝડપે ધસી આવેલ ઈકકો કાર નંબર-જી.જે.16.સી.એન.0905ના ચાલકે બાઇકને ટક્કર મારતા અકસ્માત સર્જાઈ હતી અકસ્માતમાં બાઇક સવારને ગંભીર ઇજાઓ પહોંચતા તેને સારવાર માટે ગડખોડ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડયો હતો જ્યાં હાજર તબીબે તેને તપાસી મૃત જાહેર કર્યો હતો.અકસ્માત અંગે અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

error: