ફતેપુરા તાલુકા ની સુખસર કૃષિ શાળા ખાતે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ ગાંધીનગર પ્રેરિત અને દાહોદ જિલ્લા માં યોગ શિબિર યોજાઈ .
યોગબોર્ડ દ્વારા દર વર્ષે દરેક જિલ્લામાં યોગ શિબિરનું આયોજન કરતી હોય છે . જેના ભાગરૂપે દાહોદ જિલ્લાની યોગ શિબિર સુખસર કૃષિ શાળા ખાતે યોજવામાં આવી હતી . જેમાં સુખસર નગર તેમજ આજુબાજુના ગામડાના જુદા જુદા તાલુકામાંથી મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહીને યોગ શિબિર નો લાભ લીધો હતો . આ યોગ શિબિરમાં દાહોદ જિલ્લા પાર્ટી પ્રમુખ શંકરભાઈ અમલીયાર , સ્ટેટ કો-ઓર્ડીનેટર રાજેશભાઈ પંચાલ , ઝોન કોઓર્ડીનેટર પિન્કીબેન , જિલ્લા કો-ઓર્ડીનેટર દેવેન્દ્રભાઈ પટેલ , ગાયત્રી પરિવાર , પોલીસ વિભાગ , શિક્ષણ વિભાગ ના અધિકારીઓ યોગ કોચ રાહુલભાઈ , પ્રવીણભાઈ , જયાબેન , નંદાબેન , લાલાભાઇ , ધુળાભાઈ , શંકરભાઈ કટારા , તથા યોગ ટેનર મિત્રો ઉપસ્થિત રહ્યા હતા .
રાજેશભાઈ પંચાલ અને પિંકી બહેને ઉપસ્થિત ભાઈ બહેનોને યોગ આસનો નું પ્રેક્ટીકલ કરવામાં આવ્યું હતું . યોગ એટલે શું , યોગ કેમ કરવામાં આવે છે . અને યોગ થી થતાં ફાયદા વિશે માહિતી આપવામાં આવી હતી . આ સાથે યોગ બોર્ડ 100 કલાક ટ્રેનીંગ આપી યોગ શિક્ષક તૈયાર કરવાનું કામ કરે છે . તેની સાથે 21 જૂન આંતર રાષ્ટ્રીય યોગ દિવસ ની ઉજવણી કરવામાં માટે જણાવ્યું હતું .
છેલ્લે ફતેપુરા તાલુકાના યોગ કોચ ધુળાભાઈ પારગી દ્વારા કરો યોગ રહો નિરોગ. ઘર ઘર પે હમ જાયેંગે, સબકો યોગ સિખાયેગે ભારત માતાકી જય નાં નારા સાથે આવેલા તમાંમ મહેમાનોનો આભાર વ્યક્ત કરી કાર્યક્રમ પૂર્ણ કરવા મા આવ્યો હતો .