Satya Tv News

નવસારી રેલવે સ્ટેશન પરની જવાહર રેસ્ટોરન્ટમાં પુલાવમાંથી જીવાત નીકળવાની ઘટના સામે આવતા ચકચાર મચી ગઈ છે. વાસ્તવમાં જવાહર રેસ્ટોરન્ટમાં એક ગ્રાહકો પુલાવની ઓર્ડર આપ્યો હતો. જોકે આ પુલાવમાંથી જીવાત નીકળતા ગ્રાહક ચોંકી ઉઠ્યા હતા. જોકે હદ તો ત્યારે થઈ જ્યારે યુવકે રેસ્ટોરન્ટ સંચાલકને ફરિયાદ કરતા હાથ ઉંચા કરી દીધા હતા. આ સાથે હોટલના સંચાલકે ચોમાસા દરમિયાન આવી ઘટના બનતી હોવાની દલીલ કરી છે.યુવકે વીડિયો ઉતારી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો. આ સાથે યુવકે માંગ કરી છે કે, આરોગ્ય વિભાગ આ અંગે તપાસ કરે.

error: