Satya Tv News

ઉદ્યોગો ને કનડતા વિવિધ પ્રશ્નો ની ચર્ચા કરવામાં આવી

વાગરા પી.આઈ એ ગુના ઉકેલવા માટે ઇન્ડસ્ટ્રીઝ ને જરૂરી સૂચનો કર્યા

સાયખાં ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનની વાર્ષિક સામાન્ય સભા અંકલેશ્વર ખાતે યોજાઈ હતી.જેમાં એસોસિએશન ના હોદ્દેદારો અને સભ્યો જોડાયા હતા.ઇન્ડસ્ટ્રીઝ ના વિવિધ પ્રાણ પ્રશ્ને ચર્ચા કરવામાં આવી હતી.મિટિંગ માં વાગરા પી.આઈ. પણ ઉપસ્થિત રહી કાયદો વ્યવસ્થા જળવાઈ એ માટે ના જરૂરી સૂચનો કર્યા હતા.

          વાગરા તાલુકા માં આવેલ સાયખાં કેમીકલ ઝોન માં અનેક વિધ ઉદ્યોગો સ્થપાઈ ને કાર્યરત થયા છે.તો બીજી તરફ કેટલીયે કંપનીઓ આકાર લઈ રહી છે.આ બધા વચ્ચે સાયખાં કેમીકલ ઝોન માં આવેલ કંપની સામે હજુ કેટલાયે પડકારો સામે છે.જેનો કંપની સંચાલકો સામનો કરી રહ્યા છે.અંકલેશ્વર ખાતે યોજાયેલ સાયખાં ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન ની વાર્ષિક સામન્ય સભામાં ઇન્ડસ્ટ્રીઝને કનડતા પ્રશ્નો જેમ કે રોડ- રસ્તા ડ્રેનેજ લાઇન, ઇલેક્ટ્રીસીટી ,CETP નો ચાર્જ અને પ્રદુષણ જેવા વિવિધ મુદ્દાઓ પર વિશેષ ચર્ચા કરવામાં આવી હતી.સાથે તેના નિવારણ માટે વહીવટી તંત્ર સાથે મળી કેવા પગલાં લીધા છે અને આગામી સમય માં વિશેષ શું કરી શકાય એ બાબત પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો.ઇન્ડસ્ટ્રીઝ ની મિટિંગમાં આસપાસ ના વાતાવરણ ને પ્રફુલ્લિત બનાવવા તેમજ વિસ્તાર ના લોકો નું આરોગ્ય સચવાઈ તેમજ તેમને રોજગારી મળી રહે અને તેમના જીવન ધોરણ ને ઊંચું લાવવા શું કરી શકાય તેના ઉપર પણ વાર્તાલાપ કરવામાં આવ્યો હતો.

આ પ્રસંગે એસોસિએશન દ્વારા કાયદો અને વ્યવસ્થા જાળવવા સુગમતા આવે એ માટે વાગરા પી.આઈ પ્રદીપસિંહ વાઘેલા ને મિટિંગ માં આમંત્રણ આપતા તેમણે વિશેષ હાજરી આપી હતી.આ તબક્કે પોલીસ ઇન્સ્પેકટર એ ઇન્ડસ્ટ્રીઝ માં બનતા ગુનાઓ ને અટકાવવા અને બનેલ ગુનાઓ નો ઝડપી ઉકેલ લાવવા જરૂરી સૂચનો કર્યા હતા.ઇન્ડસ્ટ્રીઝ અને પોલીસ વચ્ચે સમન્વય સધાય તો ગુનાખોરી નું પ્રમાણ ઓછું થઈ શકે તેમ તેમણે જણાવ્યુ હતુ.
વાર્ષિક સામન્ય સભામાં ઇન્ડસ્ટ્રીઝ ના પ્રમુખ હરેશ ભુતા,ઉપ પ્રમુખ પ્રશાંત પટેલ,ઉપ પ્રમુખ સી.કે જીયાની, સેક્રેટરી જયેશ વિસાવાડીઆ, જોઈન્ટ સેક્રેટરી નટવર પટેલ અને દેવેન્દ્ર પટેલ તેમજ ટ્રેઝરર મીનકુ ગાંધી,કુંજ પટેલ,દુર્ગેશ કાબરા સહિત મોટી સંખ્યા માં ઉદ્યોગપતિઓ ઉપસ્થિત રહ્યા હતા.

ઝફર ગડીમલ,સત્યા ટીવી – વાગરા.

error: