Satya Tv News

સુપ્રીમ કોર્ટે MBBSમાં NRI ક્વૉટા મામલે પંજાબ સરકારની ઝાટકણી કાઢી હતી. મેડિકલ એડમિશનમાં NRI ક્વૉટાને લઈને સુપ્રીમ કોર્ટે આકરી ટિપ્પણી કરતા કોર્ટે કહ્યું કે ‘આપણે એનઆરઆઈ ક્વૉટાનો ધંધો જ બંધ કરી દેવો જોઈએ. આ એક છેતરપિંડી છે. આપણી એજ્યુકેશન સિસ્ટમ સાથે આપણે શું કરી રહ્યા છીએ!’ 

સુપ્રીમ કોર્ટે મેડિકલમાં એડમિશનને લઈને NRI ક્વૉટાની વ્યાખ્યાને વ્યાપક બનાવવાનું નોટિફિકેશન રદ કરવા માટે પંજાબ હાઈકોર્ટના આદેશને પડકારતી અરજી રદ કરતી વખતે આ ટિપ્પણી કરી હતી. સુનાવણી દરમિયાન સીજેઆઈ ડીવાય ચંદ્રચૂડે કહ્યું કે, ‘આપણે છેતરપિંડી બંધ કરવી પડશે. હાઈકોર્ટના આદેશ એકદમ સાચા છે. જો તેના નુકસાનકારક પરિણામો જોઈએ તો, જે ઉમેદવારોના ત્રણ ગણા માર્ક્સ છે તેમને પણ એડમિશન નથી મળ્યું. કેન્દ્ર સરકારે લાઈન પર આવી જવું જોઈએ.

આ મામલે જસ્ટિસ ચંદ્રચૂડની બેન્ચે પંજાબ સરકારને પણ આડે હાથ લેતા ટિપ્પણી કરી હતી કે ‘તમે એનઆરઆઈ ક્વૉટાના એડમિશનમાં નજીકના સંબંધીઓ અને આશ્રિતોને પણ સામેલ કરી દીધા છે. આ છેતરપિંડી છે. તમે મેરિટ ધરાવતા વિદ્યાર્થીઓને એડમિશન નથી આપી શકતા અને તમારા એનઆરઆઈ મામા, કાકા અને માસાના નામે એડમિશન આપી દીધા છે.’ નોંધનીય છે કે, ગયા મહિને પંજાબ સરકારે એનઆરઆઈ ક્વૉટામાં આ ફેરફાર કર્યો હતો. 

શું છે આખો મામલો?

બાબા ફરીદ યુનિવર્સિટી એન્ડ હેલ્થ સાયન્સે પંજાબ અને ચંડીગઢ રાજ્ય વતી મેડિકલ યુજી અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે જાહેરાત કરી હતી. તેમાં યુજી ક્વૉટા માટેની છેલ્લી તારીખ 16 ઓગસ્ટ અને પંજાબ રાજ્ય માટે 15 ઓગસ્ટ દર્શાવાઈ હતી. તે અરજીમાં કહેવાયું હતું કે, રાજ્ય સરકારે 20 ઓગસ્ટે ફોર્મ જમા કરાવ્યા બાદ પ્રવેશ પ્રક્રિયામાં ફેરફાર કર્યો હતો. આ સિવાય NRI ક્વૉટાના નિયમોમાં પણ ફેરફાર  કરાયા છે. 

આ અંગે એવો આરોપ છે કે એનઆરઆઈ ક્વૉટાની સીટ ખાલી રહી ત્યારે અન્ય ઉમેદવારોને એનઆરઆઈ ક્વૉટા દ્વારા એમબીબીએસમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો.

error: