Satya Tv News

 મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે. પરંતુ ભાજપના નેતા અને નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે એવું નિવેદન આપ્યું છે, જેનાથી મહાયુતિની અંદર રાજકીય માહોલ ગરમાઈ શકે છે. લોકસભાની ચૂંટણી પછી આ પહેલીવાર બન્યું છે, જ્યારે ભાજપના નેતા અને મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે પણ અજિત પવારને લોકસભા ચૂંટણીમાં નબળા પ્રદર્શન માટે જવાબદાર ઠેરવ્યા છે.

એક કાર્યક્રમમાં ભાજપના નેતા દેવેન્દ્ર ફડણવીસે જણાવ્યુ હતું કે, ‘અજિત પવારની રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના મતો ટ્રાન્સફર થયા નથી. તેથી લોકસભા ચૂંટણીમાં મહાયુતિનું પ્રદર્શન નબળું રહ્યું હતું. તેમજ ભાજપના નબળા પ્રદર્શનનું આ એક મુખ્ય કારણ છે.’ ફડણવીસનું આ નિવેદન એવા સમયે આવ્યું છે, જ્યારે એવા અહેવાલો છે કે મહાયુતિના સાથી પક્ષોમાં બધુ બરાબર ચાલી રહ્યું નથી.

ગુરુવારે (27મી સપ્ટેમ્બર) મુંબઈમાં એક કાર્યક્રમમાં ભાજપના નેતા દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે, ‘તે સાચું છે કે ભાજપના મુખ્ય મતદારોએ એનસીપી સાથેના જોડાણને નકારી કાઢ્યું છે કારણ કે અમે પરંપરાગત હરીફો રહ્યા છીએ. પરંતુ હવે અમે અમારા સ્ટેન્ડમાંથી 80 ટકા લોકોને મનાવવામાં સફળ થયા. પક્ષ આરએસએસને આવા ગઠબંધન પાછળના ઉદ્દેશ્ય વિશે સમજાવવામાં સફળ રહી છે.’

ભાજપના નેતા દેવેન્દ્ર ફડણવીસે જણાવ્યું હતું કે, ‘સાથી પક્ષોના મતોનું ટ્રાન્સફર થયા નથી. પરંતુ ભાજપ તેના મજબૂત કેડર સાથે તેના મતો સાથી પક્ષોને ટ્રાન્સફર કરવામાં સફળ રહી હતી. શિવસેના માટે તેના મતો ભાજપને ટ્રાન્સફર કરવાનું સરળ હતું કારણ કે તેઓ લાંબા સમયથી ચૂંટણી ભાગીદાર તરીકે જોડાયેલા હતા. જો કે, ભાજપ હંમેશા એનસીપી સામે ચૂંટણી લડતી હોવાથી, એનસીપીમાંથી ભાજપમાં મત ટ્રાન્સફર કરવાનું મુશ્કેલ હતું. હું આને NCP મતદારો માટે સેટલમેન્ટ પિરિયડ કહીશ.’

વિધાનસભા ચૂંટણી પહેલા મહાગઠબંધનમાં કોઈ સુધારાની શક્યતાને નકારી કાઢતા દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે, ‘કોઈપણ સુધારા માટે કોઈ સમય નથી. આપણે વર્તમાન માર્ગ પર જ આગળ વધવાનું છે. અમે અમારી જમીન ઘણી હદ સુધી પાછી મેળવી લીધી છે.’ 

ઉલ્લેખનીય છે કે, મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અને રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટી (અજિત જૂથ)ના વડા અજિત પવારે મુખ્યમંત્રી બનવાની ઈચ્છા પર ખુલીને વાત કરી હતી. એક કાર્યક્રમ દરમિયાન તેમણે કહ્યું કે ‘હું મુખ્યમંત્રી બનવા માંગું છું, પરંતુ વારંવાર ડેપ્યુટી સીએમના પદ પર અટકી જાવ છું.’ 

error: