Satya Tv News

ભારતીય નોટ પર મહાત્મા ગાંધીનો ફોટો તો તમે જોયો હશે પરંતુ તમે ક્યારે વિચાર્યું કે, નોટ પર સ્માઈલ કરતો આ બાપુવો ફોટો કોણે ક્લિક કર્યો છે. આ સાથે ગુગલ પર તો મહાત્મા ગાંધીના અનેક ફોટો છે પરંતુ આ જ ફોટોને કેમ પસંદ કરવામાં આવ્યો છે.નોટ પર મહાત્મા ગાંધીનો ફોટો 1946ના રોજ ક્લિક કરવામાં આવેલા ફોટોમાંથી લેવામાં આવ્યો છે. જેમાં તે બ્રિટેશ રાજનીતિજ્ઞ લોર્ડ ફ્રેડરિક વિલિયમ પેથિક-લૉરેન્સ સાથે ઉભા છે.1969માં તેમની 100મી જન્મજયંતિ નિમિત્તે ભારતીય ચલણી નોટો પર મહાત્મા ગાંધીનો ફોટો સૌપ્રથમવાર જોવા મળ્યો હતો. ત્યારબાદ, 1996માં ભારતીય રિઝર્વ બેંકે મહાત્મા ગાંધીનો ફોટો ધરાવતી નોટોની નવી સિરીઝ બહાર પાડી હતી.

મહાત્મા ગાંધીજીનો આ ફોટો વ્યક્તિત્વને પણ દર્શાવે છે. જે હંમેશા શાંતિ અને અહિંસાનો સંદેશ આપે છે. તેની સ્માઈલ તેના દયાળુ અને કરુણામય સ્વભાવને દર્શાવે છે. આજે ગાંધીજીનો ફોટો માત્ર ભારતીય નોટો પર જ નથી પરંતુ દુનિયાભરમાં શાંતિ અને અહિંસાના પ્રતિકના રુપમાં માનવામાં આવે છે.

error: