Satya Tv News

આજે સવારના 7 વાગ્યાની આસપાસ અમદાવાદમાં મણીનગર રેલવે ક્રોસીંગ પાસે જામનગર હમસફર ટ્રેન સામે રેલવે એન્જિનિયરે પડતું મૂક્યું હતું. 54 વર્ષિય અશ્વિન રાઠોડ રેલવેમાં જૂનિયર એન્જિનિયર તરીકે ફરજ બજાવતા હતા. અને મણિનગરમાં CNI ચર્ચની સામે આવેલી રાજશિલ્પ એપાર્ટમેન્ટમાં રહેતા હતા. અશ્વિનભાઈ ગુરુવારે બપોરે 3 થી રાતના 11 વાગ્યા સુધી ફરજ બજાવી હતી. શુક્રવારે તેમની રજા હોવાથી ઘરે જ હતા. ત્યારે આજરોજ સવારના 7 વાગ્યાના મણિનગર રેલવે ક્રોસીંગ પાસે જામનગર હમસફર ટ્રેન નીચે સુઈ આપધાત કર્યો હતો. ત્યારે આ દરમિયાન ઉપસ્થિત લોકો પણ હચમચી ગયા હતા.આ સમગ્ર ઘટના CCTV કેમેરામાં થઈ કેદ થઇ હતી. ત્યારે આ ઘટનાને લઇ મણિનગર પોલીસે ગુનો નોંધી આપઘાત પાછળના કારણની તપાસ શરૂ કરી.

error: