Satya Tv News

ખંભાતના વટાદરા ગામે સ્વામિનારાયણ મંદિર પાસે ટેકરી વિસ્તારમાં રહેતા અલ્પેશ ઠાકોરનો પુત્ર ગઇકાલે સાંજના સમયે પોતાના મિત્ર સાથે ઘર નજીક આવેલી પડતર જમીનમાં ફટાકડા ફોડતા હતા. નિર્મેલે એક સુતળી બોમ્બ ફટકાડો સળગાવી તેના પર તમાકુના મસાલાના પતરાનો ડબો ઢાંક્યો હતો.ધડાકાભેર ફટકડો ફૂટતા પતરાના ડબ્બાના ફૂરચે ફૂરચા ઉડ્યા હતા, પતરાના ટુકડાઓ બાળકના શરીરમાં ઘૂસ્યા હતા. આ કારણે બાળકને ગંભીર ઇજા પહોંચી હતી. આ ઘટનાની જાણ પરિવારજનોને થતાં દોડી આવ્યા હતા અને બાળકને તાત્કાલિક સારવાર મટે ખંભાતની જનરલ હોસ્પિટલમાં ખસેડ્યો હતો.ફરજ પરના તબીબે બાળકને તપાસીને મૃત જાહેર કર્યો હતો. પરિવારજનોમાં ભારે શોકનો માહોલ છવાયો હતો. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, પરિવારજનોએ પોસ્ટમોર્ટમ ન કરવા અંગે પોલીસ મથકમાં સોગંદનામુ રજૂ કરાયું હતુ અને બાળકની અંતિમ વિધિ પણ કરી દેવાઇ હતી.

error: