Satya Tv News

યુપીના રાયબરેલીમાં સોમવારે સવારે એક અકસ્માતમાં બાઈક સવાર ત્રણ યુવકોના દર્દનાક મોત નીપજ્યા. મૃતકોમાં બે પિતરાઈ ભાઈ છે. યુવકોના મૃત્યુ થવાથી તેમના પરિવારજનો પર દુ:ખનો પહાડ તૂટી પડ્યો છે. પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધા છે અને ઘટનાની તપાસ શરૂ કરી દેવાઈ છે. 

સરેની વિસ્તારના પૂરે લાલુ મજરે બેની માધવગંજ રહેવાસી પ્રશાંત સહિત પૂરે ચંદ્રશેખર મજરે ગોપાલી ખેડા રહેવાસી શિવેન્દ્ર મિશ્રા, ગોપાલ મિશ્રા ત્રણેય રવિવારે મોડી સાંજે ગામમાં એક સાથે હતા. તેમણે થોડા દિવસ પહેલા જ નવું બાઈક ખરીદ્યુ હતું.

ત્રણેય યુવકોએ પોતાના પરિવારજનોને મિત્રના ઘરે જવાની વાત કહી હતી અને રાત્રે બે બાઈકથી ઘરેથી નીકળ્યા હતા. સવારે લાલગંજ ડલમઉ મુખ્ય માર્ગ પર બહાઈ ગામની પાસે ત્રણેય મૃત અવસ્થામાં રસ્તાના કિનારે પડેલા મળ્યા. આ અકસ્માત કયા વાહનથી થયો તે કોઈને જાણ થઈ શકી નથી.

પ્રશાંત બાજપેયી પોતાના માતા-પિતાનો એકમાત્ર પુત્ર બચ્યો હતો. તેના મોટા ભાઈનું પહેલા જ બિમારી દરમિયાન નિધન થઈ ચૂક્યુ છે. પ્રશાંત મલ્કેગામમાં પોસ્ટ વિભાગમાં પોસ્ટમાસ્ટર હતો. શિવેન્દ્ર કપચીનો મોટો વેપારી હતો. બે ભાઈઓમાં તે નાનો હતો. પોલીસ ઈન્સ્પેક્ટરે જણાવ્યું કે સમગ્ર ઘટનાની તપાસ ચાલુ છે.

error: