Satya Tv News

ગત તારીખ ૨૦ ઓકટોબરના રોજ આણંદ જિલ્લાના બાકરોલ BAPS સ્વામી નારાયણ સ્કૂલ સંસ્થાન ખાતે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાતની રાજ્ય કારોબારી યોજવામાં આવેલ. જેમાં નર્મદા જિલ્લામાંથી અધ્યક્ષ દેવેન્દ્રભાઈ જાદવ, વિજયસિંહ રાજપૂત અને વાલમભાઈ બારીયા સહિતના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. સાથે સાથે ગુજરાતના અધ્યક્ષ ભીખાભાઈ પટેલને નર્મદા જિલ્લાના શિક્ષકોને લગતા તમામ પ્રશ્નોની આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી જેમાં શિક્ષકોની બદલી અને બાકી રહેલા શિક્ષકોને જૂની પેન્શન યોજનાનો લાભ મળે એ બાબત પર ખાસ ભાર મૂકવામાં આવેલ છે એમ જિલ્લાના પ્રચારમંત્રી અમિત ગીરી ગોસ્વામીની એક યાદીમાં જણાવાયું છે.

error: