
નર્મદા જિલ્લાના દેડિયાપાડા માં એક આધેડ વ્યક્તિ નું તીક્ષ્ણ હથિયાર મારી ખૂન કરનાર અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ ડેડીયાપાડા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે.
મળતી માહિતી અનુસાર અરવિંદભાઇ બાબુભાઇ વસાવા, રહે.બંગ્લા ફળીયુ.ડેડીયાપાડા તા.ડેડીયાપાડા નાઓ એ આપેલી ફરિયાદ મુજબ મરનાર લક્ષ્મણભાઇ રતનભાઇ તડવી. ઉ.વ.આ.૫૮ રહે.બંગ્લા ફળીયુ, ડેડીયાપાડા ગઇ તા.૦૨/૦૬/૨૦૨૫ ના રાતના દસ. વાગેથી તા.૦૪/૦૬/૨૦૨૫ ના સવારના આઠ વાગ્યાના સમયગાળા દરમ્યાનના ડેડીયાપાડા શારદા દેવી સ્કૂલની પાછળ ખેતરમા આવેલ ઝુપડી પાસે હતા, ત્યારે કોઇ અજાણ્યા ઇસમે તેમને કોઇ તીક્ષ્ણ ધારદાર હથિયાર વડે કપાળના ભાગે તથા મોઢાના ભાગે જીવલેણ ઇજાઓ કરતા તેમનું મોત થયું હોય ડેડિયાપાડા પોલીસે ખૂનનો ગુનો નોંધી અજાણ્યા હત્યારા ને શોધવા ચક્રો ગતિમાન કર્યા છે.
રિપોર્ટર: સર્જન વસાવા, ડેડિયાપાડા