Satya Tv News

૨૦ થી ૨૨ ગામના લોકોને વીજપુરવઠો નિયમીત અને પૂરતા પ્રમાણમાં મળી રહશે: જેથી ખેડૂતોની તમામ સમસ્યાનો અંત આવશે;

નેત્રંગ તાલુકાના ફુલવાડી ગામે ઝઘડિયાના ધારાસભ્ય શ્રી રિતેશભાઈ વસાવાના હસ્તે સબસ્ટેશન નું ખાતમુર્હુત કરવામાં આવ્યું છે. નેત્રંગ તાલુકામાં ફક્ત બે જ સબસ્ટેશન આવેલ હોવાથી ફુલવાડી ગામ સહિત અન્ય ૨૦ થી ૨૨ જેટલા ગામના રહીશોને ખુબ જ ઓછા પ્રમાણમાં વીજપુરવઠો મળતો હતો અને ઓછાં પ્રમાણમાં વીજપુરવઠો મળવાના કારણે ખેડૂતો ને ભારે હાલાકી ભોગવવી પડે છે. તેમજ અભ્યાસ કરતા બાળકોને પણ વીજ પુરવઠો ઓછો મળવાને કારણે અસર પડે છે. તેમજ પીવાના પાણીની મોટરો પણ ચાલતી ન હોય અને ખેતીમાં પણ ખુબ જ મુશ્કેલીનો સામનો કરવો પડે છે, તેમજ પીયત માટે લાઈટની જરૂર પડતી હોય પરંતુ અપૂરતા પ્રમાણમાં વીજપુરવઠા ની સમસ્યાને લઈને વર્ષોથી ખેતીમાં વ્યાપક નુકસાન થતું હોય છે. તેમજ પશુ પાલન માટે પાણી અને ઘાસચારા માટે પણ તકલીફ પડતી હોય છે, જેથી આ GEB નું સબસ્ટેશન બને તો આર્થિક પરિસ્થિતિમાં સુધારો થઈ શકે તેમ છે, ત્યારે ભરૂચ સાંસદ મનસુખભાઈ વસાવા અને ઝઘડીયાના ધારાસભ્ય રિતેશભાઈ વસાવાએ સરકારમાં રજુઆત કરીને આ સબસ્ટેશન માટે માંગણી કરી હતી. જેની મંજુરી મળતા થવા ગૃપ ગ્રામ પંચાયતમાં બે એકર જમીન આ સબસ્ટેશન માટે ફાળવવામાં આવી હતી. વિરોધપક્ષના નેતાઓ આવેદનપત્ર વિરોધ નોંધાવ્યો હતો. પરંતુ તેમાં તેઓ સફળ રહ્યા નઈ અને ઝઘડીયાના ધારાસભ્ય રિતેશભાઈ વસાવાના હસ્તે ખાતમૂહુર્ત કરવામાં આવ્યું હતું. અને છેવાડાના માનવીનો વિકાસ કરવો એ જ ભાવના થકી અંતરિયાળ વિસ્તારમાં સબ સ્ટેશનના પ્રોજેક્ટને મંજૂરી આપવા બદલ ધારાસભ્યશ્રીએ રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો. આ શુભ અવસરે નેત્રંગ તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતી વસુધાબેન વસાવા ઉપપ્રમુખ નિતેશભાઈ પરમાર, ઝગડિયા તાલુકા પંચાયત પ્રમુખ જયેન્દ્રભાઈ વસાવા, થવા ગ્રુપ ગ્રામ પંચાયત નાં સરપંચશ્રી સુશીલાબેન વસાવા તેમજ પાર્ટીના હોદેદારો તેમજ આજુબાજુ ગામના સરપંચશ્રીઓ ,આગેવાનો ભાઈઓ, બેહનો, યુવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.*

રિપોર્ટર: સર્જન વસાવા, ડેડિયાપાડા

error: