Satya Tv News

દહેજ સ્થિત બેઇલ કંપનીમાં કાયદેસર રીતે કર્યો નાશ

ભરૂચ જિલ્લાના વિવિધ પોલીસ મથકોમાં નોંધાયેલા કુલ 17 નશીલા પદાર્થોના ગુનાઓમાં પોલીસે કુલ 608 કિલોગ્રામ નશીલા પદાર્થોનો જથ્થો જપ્ત કર્યો હતો, જેના બજારમુલ્ય અંદાજે ₹1.25 કરોડ જેટલું થાય છે.

https://www.instagram.com/reel/DK2Ghwqo0wO/?igsh=M2lvaDZ3YzIyYXZ3

જપ્ત કરાયેલા આ હાનિકારક અને માનસિક તબાહી લાવતા પદાર્થોને દહેજના એક લાયસન્સ ધરાવતી બેઇલ કંપનીમાં કાયદેસર પ્રક્રિયા અનુસરતાં નષ્ટ કરવામાં આવ્યા હતા.આ ડ્રગ્સ વિનાશની પ્રક્રિયા દરમિયાન જિલ્લા પોલીસ વિભાગના વરિષ્ઠ અધિકારીઓ, જ્યુડિશિયલ અધિકારીઓ તેમજ એનસીબીના પ્રતિનિધિઓ પણ હાજર રહ્યા હતા. તમામ નષ્ટીકરણ કાર્યવાહી કોર્ટના આદેશ મુજબ અને કડક સુરક્ષા વચ્ચે કરવામાં આવી.ડ્રગ્સ વિરૂદ્ધના જંગમાં આ પગલું ભરૂચ જિલ્લા પોલીસ માટે એક મોટું પગથિયું ગણાય છે. પોલીસના જણાવ્યા મુજબ, નશીલા પદાર્થોનુ મૂળ ઉખેડવા માટે આવનારા સમયમાં પણ સઘન ઓપરેશન ચાલુ રહેશે.

error: