
ડેડીયાપાડા ના ખામ ગામની સીમમા આવેલ મોહન નદીના કિનારે કોહવાઈ ગયેલી હાલતમાં તેમનો મૃતદેહ મળી આવ્યો;
સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકાના ચારણી ગામમાં વાળંદ નો ધંધો કરતા વ્યક્તિનો મૃતદેહ મળતા અનેક અટકળો સંભળાઈ છે
પ્રાપ્ત વિગતો અનુસાર રાજેન્દ્રભાઈ રૂપસીંગભાઈ વસાવા રહે.ચારણી તા.ઉમરપાડા જી.સુરત એ પોલીસ માં જાણ કર્યા મુજબ તેમના મોટા ભાઈ મરનાર રણજીતભાઈ રૂપસીંગભાઈ વસાવા ઉ.વ. પર રહે. કાલીજામણ ટેકરા ફળીયુ તા.ઉમરપાડા જી.સુરત નાઓ ચારણી ગામે તેમની વાળંદ ની દુકાન હોય ત્યાં વાળ કાપવા સારૂ ગયેલ હતા અને સાજના ઘરે પરત નહી આવતા પરિવારજનો એ તેમની શોધખોળ કરી ત્યારબાદ તા ૨૬/૦૬/૨૦૨૫ ના રોજ બપોરના આશરે સાડા ત્રણેક વાગ્યાના અરસામાં ડેડીયાપાડા તાલુકાના ખામ ગામની સીમમા આવેલ મોહન નદીના કિનારે વરસાદના પાણીના વહેણમાં તણાય આવેલી કોહવાઈ ગયેલી હાલતમાં તેમનો મૃતદેહ મળી આવતા ડેડિયાપાડા પોલીસે હાલ અકસ્માત મોત દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. જોકે મરનાર તેમની વાળંદ ની દુકાને દરરોજ ની જેમ ધંધો કરવા ગયા બાદ આવી ઘટના બનતા અનેક અટકળો ચાલી રહી છે.
રિપોર્ટર: સર્જન વસાવા, ડેડિયાપાડા