




‘એક પેડ મા કે નામ’ અભિયાનનો ગુજરાતમાં સૌ પ્રથમ ગાંધીનગરથી પોતાના માતાના નામે એક વૃક્ષ વાવીને વડા પ્રધાને પ્રારંભ કરાવ્યો હતો. આ અભિયાનમાં સહભાગી થઈને ગુજરાતના મંત્રી મંડળના સભ્યો, ધારાસભ્યો, સાંસદ સભ્યો, પદાધિકારીઓ, અધિકારીઓ, શૈક્ષણિક- સ્વૈચ્છિક સંસ્થાઓ અને પર્યાવરણ પ્રેમી નાગરિકોએ પોતાની માતાની યાદમાં એક વૃક્ષ વાવીને તેને ઉછેરવાની કાળજી લઈ રહ્યા છે. ત્યારે નેત્રંગ તાલુકાના થવા ખાતે આવેલ પી.એમ.શ્રી.થવા બ્રાન્ચ પ્રાથમિક શાળાનાં બાળકો પણ આ અભિયાનમાં જોડાયા છે.
નેત્રંગ તાલુકામાં આવેલ પી.એમ.શ્રી થવા બ્રાન્ચ પ્રાથમિક શાળાનાં વિદ્યાથીઓ તેમજ શિક્ષકો દ્વારા “એક પેડ માં કે નામ” અભિયાન અંતર્ગત વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો હતો. અને શાળાના કમ્પાઉન્ડ માં વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે શાળાના બાળકો સાથે શાળાના આચાર્યશ્રી માધવસિંહ વસાવા તેમજ શાળાના તમામ શિક્ષકો ઉપસ્થિત રહી કાર્યક્રમ ને સફળ બનાવ્યો હતો.
રિપોર્ટર: સર્જન વસાવા, ડેડિયાપાડા