ચૈતર વસાવા કેસમાં આવ્યો મોટો ટ્વિસ્ટ: સંજય વસાવાએ પત્ર લખીને કરી એક માંગ!!
આમ આદમી પાર્ટી અને ડેડીયાપાડા ના ધારાસભ્ય ચૈતર વસાવાના જામીન નામંજૂર થયા છે. સેશન્સ કોર્ટે ચૈતર વસાવાના જામીન નામંજૂર કર્યા. તેથી લાફાકાંડમાં ચૈતર વસાવા હજુ જેલમાં જ રહેશે. હવે જામીન માટે ધારાસભ્યને હાઈકોર્ટ જવું પડશે. આ વચ્ચે સંજય વસાવાના એક પત્ર સોશ્યલ મીડિયામાં વહેતો થયો છે જેના થી ખળભળાટ મચાવ્યો છે.

નર્મદા જિલ્લાના ડેડીયાપાડા ખાતે પ્રાંત કચેરીમાં લાફા
ખાસ કરીને વર્ષ 2023ના ફોરેસ્ટ વિભાગના કેસનો ઉલ્લેખ કરીને જણાવવામાં આવ્યું હતું કે, તેઓને શરતી જામીન મળ્યા હતા. હાલ આ કેસ એડિશનલ સેશન કોર્ટમાં ચાલી રહ્યો છે અને કોર્ટે ચૈતર વસાવાને જામીન આપવા ઈનકાર કર્યો છે. પરિણામે ધારાસભ્યને હાલ જેલવાસ જ ભોગવવો પડશે. ચૈતર વસાવાના પક્ષ દ્વારા હવે હાઈકોર્ટમાં જામીન માટે અરજી કરવામાં આવશે તેવી શક્યતા છે.
તો બીજી તરફ, ચૈતર વસાવાના કાર્યકર્તાઓ દ્વારા સાત દિવસમાં જમીન નહિ મળે તો તીર કામઠા સાથે ઘેરાવો કરીશું તેવી ચીમકી આપવામાં આવી છે.
આમ આદમી પાર્ટીના ધારાસભ્યના કેસ મામલે મોટો ટ્વિસ્ટ આવ્યો છે .તાલુકા પંચાયતના પ્રમુખ સંજય વસાવા સોશિયલ મીડિયામાં પત્ર લખ્યો છે. તેમણે પત્રમાં લખ્યું કે, ધારાસભ્ય ચૈતર વસાવા માફી માંગે તો હું કેસ ખેંચવા પાછો ખેંચવા તૈયાર છું. મારા અને તાલુકા પંચાયતના પ્રમુખ ચંપાબેન વસાવાને અપશબ્દો બોલ્યા તે બાબતે ચૈતર વસાવા માફી માંગે તો માફી માગવા તૈયાર છું. અમે બધા એક જ સમાજના છીએ. સંજય વસાવાએ સમસ્ત આદિવાસી સમાજના પ્રમુખને પત્ર લખ્યો છે.
રિપોર્ટર: સર્જન વસાવા, ડેડિયાપાડા