
નર્મદા જિલ્લાના રાજપીપલા ખાતે ઋણ મુક્તેશ્વર મહાદેવ યુવક મંડળ દ્વારા ઓપરેશન સિંદૂર ની થીમ પર ગણેશજી ની પ્રતિમા ની સ્થાપના કરવામાં આવી છે.
જમ્મુ કાશ્મીરના બાયસરણ વેલી ખાતે ભારતીયો પર આતંકવાદી હુમલો થયો હતો. ધર્મ પૂછી ને આતંકવાદીઓ દ્વારા ગોળી મારવામાં આવી હતી. આ ઘટના એ દેશ જ નહીં પણ વિશ્વ ને આઘાત લાગ્યો હતો. ભારત એ પણ પાકિસ્તાન ને વળતો જવાબ આપ્યો હતો. દેશlના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વાયુ સેના, થલસેના અને દરિયાઈ સેનાને ખુલ્લો દોર આપ્યો હતો. તમે કહો તે સમયે હુમલો કરવા તૈયારી બતાવી હતી. જેમાં આખું ઓપરેશન બે મહિલાઓ ને સોંપવામાં આવ્યું હતું. જેમાં એક હતી સોફિયા કુરેશીકે જે વડોદરા ની રહેવાસી છે અને બીજી મહિલા હતી, વાયુસેના ની વ્યોમિકા સિંગ આ ઓપરેશન ને નામ આપવામાં આવ્યું હતું ઓપરેશન સિંદુર. ઓપરેશન સિંદુર થકી પાકિસ્તાન માં આતંકવાદીઓ ના સ્થળો પર ભારતે હુમલો કર્યો અને વળતો જવાબ આપ્યો હતો. આતંકવાદીઓના ઠીકાનાઓને નષ્ટ નાબૂદ કરી દીધા હતા.
ગણેશ ચતુર્થીમાં મંડળો દ્વારા અલગ અલગ થિમો પર ગણેશજી ની પ્રતિમા મુકવામાં આવે છે. હાલમાં મોટી મૂર્તિઓ ની જાણે હોડ લાગી છે. 20 ફૂટ ,25 ફૂટ ,35 ફૂટ સુધી ની મૂર્તિઓ મંડળો દ્વારા લાવવામાં આવતી હોય છે. ત્યારે રાજપીપલા શહેર ના ઋણ મુક્તેશ્વર મહાદેવ યુવક મંડળ દ્વારા છેલ્લા 13 વર્ષ થી ભગવાન ગણેશજી ની પ્રતિમાની સ્થપના કરવામાં આવે છે. દર વર્ષે અલગ અલગ ડેકોરેશન કરવામાં આવે છે. વર્ષ 2024 માં ગણેશજી ની રાધા કૃષ્ણના સ્વરૂપ માં હીંચકા પર બેઠેલા ગણેશજી ઇ પ્રતિમા ની સ્થાપના કરવામાં આવી હતી. આ મૂર્તિએ રાજપીપલા વાસીઓમાં આકર્ષણ જમાવ્યું હતું. ત્યારે ચાલુ વર્ષે ઓપરેશન સિંદુર ની થીમ નું ડેકોરેશન કરવામાં આવ્યું છે. ભગવાન શ્રી ગણેશ ની પ્રતિમા ને આર્મીનો યુનિફોર્મ પહેરવામાં આવ્યો છે. દસ દિવસ દરમિયાન ગણેશજી ને નેવી અને વાયુ સેનાના રૂપમાં પણ બતાવવામાં આવશે સાથે સાથે બાળકો માટે પણ આ મંડળ દ્વારા નાવડી બનાવવામાં આવી છે. ભગવાન શ્રી ગણેશ નાવડીમાં ઉભા છે અને બાળકો આ નાવડીમાં બેસશે જેથી બાળકો ઇ રક્ષા ભગવાન શ્રી ગણેશ કરી રહ્યા છે. ઓપરેશન સિંદુર ની થીમ બનાવી ને રાજપીપલામાં આકર્ષણ જમાવ્યું છે. હાલ માં પણ ગુજરાત સરકાર દ્વારા પ્રતિયોગીતા પણ રાખવામાં આવી છે જેમાં પણ ઓપરેશન સિંદુર ની થીમનો પણ સમાવેશ કરવામાં આવી છે. જોકે આ મંડળ દ્વારા 6 ફૂટ થી મોટી મૂર્તિ મુકવામાં નથી આવી. આ વર્ષે પણ 6 ફૂટ ની ભગવાન શ્રી ગણેશ ની પ્રતિમા મુકવામાં આવી છે. આ મંડળ દ્વારા પ્રતિ વર્ષ ગણેશયાગ અને નવરાત્રી દરમિયાન નાના બાળકો માટે અડકો દડકો ગરબા મહોત્સવ અને ચૈત્ર નવરાત્રીમાં નવચંડી અને મહાશિવરાત્રી ની ઉજવણી પણ કરવામાં આવતી હોય છે. આ મંડળ નઆ દરેક કાર્યકર્તાઓ મહેનત કરવામાં આવે છે.
રિપોર્ટર: સર્જન વસાવા, દેડીયાપાડા