નેત્રંગ: 2 જી,ઓક્ટોબર મહાત્મા ગાંધી જન્મ જયંતી નિમિત્તે નેત્રંગ તાલુકાના થવા ખાતે આવેલ ગ્રામ નિર્માણ કેળવણી મંડળ ,થવાના શૈક્ષણિક સંકુલમાં નશાબંધી અને આબકારી ખાતુ તથા ઇન્ટાસ ફાર્માસ્યુટિકલ્સ પ્રા.લી.વાલીયા અને ગ્રામ નિર્માણ કેળવણી મંડળ થવાના સંયુક્ત ઉપક્રમે નશાબંધી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.



આ પ્રસંગે નશાબંધી અને આબકારી ખાતાના અધિક્ષક શ્રી ભાવિન ચોલેરા, પીઆઇ અનિલ ગણાવા મધ્યપ્રદેશ થી પધારેલ વિદ્વાન ગાંધી વિચારક ડો. રાકેશકુમાર પાલિવાલ, ઇન્ટાસ ફાર્માસ્યુટિકલસ પ્રાઇવેટ લિમિટેડ વાલીયાના યુનિટ હેડ રમેશકુમાર ગુપ્તા, એચ.આર દેવેન્દ્રસિંહ કોસાડા ,સંસ્થાના મંત્રીશ્રી માનસિંહ માંગરોલા પ્રમુખશ્રી યોગેશભાઈ જોશી, ટ્રસ્ટી રાજેન્દ્રસિંહ માંગરોલા, બીઆરએસ કોલેજના આચાર્ય ડો.દિનેશભાઈ ચૌધરી ,બી.એડ કોલેજના આચાર્ય ડો. કૌશલભાઈ પારેખ,એમ.એસ ડબલ્યુ કોલેજના આચાર્ય ડો. વિનોદભાઈ સોનવણે,એકલવ્ય વિદ્યાલયના આચાર્ય પ્રવીણભાઈ પટેલ, બ્રહ્માકુમારીના ઉર્મિલાબેન અને સુનિતાબેન, શ્રીકૃષ્ણ આશ્રમ શાળાના આચાર્યા શ્રીમતી રંજનબેનની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો.
એકલવ્ય વિદ્યાલયની વિદ્યાર્થીનીઓએ વૈષ્ણવજન તો તેને રે કહીએ ભજન રજૂ કર્યું. નશો કોઇપણ વ્યક્તિ માટે નુકસાનકારક છે તે અંગે બ્રહ્માકુમારીઝના ઉર્મિલાબેન અને ઇન્ટાસ ફાર્માસ્યુટિકલ્સ વાલિયાના એચ આર દેવેન્દ્રસિંહ કોસાડાએ વાતો કરી. મહાત્મા ગાંધીજી અંગે મધ્યપ્રદેશથી પધારેલ ડો. પાલિવાલજીએ મહાત્મા ગાંધીના વિચારો અંગે વિદ્યાર્થીઓ સાથે વિસ્તૃત સંવાદ કર્યો. નશાબંધી અને આબકારી ખાતું ભરૂચ અને ઇન્ટાસ ફાર્માસ્યુટિકલ્સ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા સંસ્થાના જુદા જુદા વિભાગોના શૈક્ષણિક,રમતગમત ક્ષેત્રે અને સાંસ્કૃતિક ક્ષેત્રે સિદ્ધિ મેળવેલ વિદ્યાર્થીઓને બહુમૂલ્ય ગિફ્ટ આપી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા. આજના કાર્યક્રમમાં 1500 જેટલા વિદ્યાર્થીઓ અને સ્ટાફ ઉપસ્થિત હતો. નશાબંધી અને આબકારી ખાતુ ભરૂચના અધિક્ષક શ્રી ભાવિન ચોલેરા સાહેબની ઉપસ્થિતિ સમગ્ર શૈક્ષણિક કેમ્પસ માટે પ્રેરણાદાયી બની રહી.
રિપોર્ટર: સર્જન વસાવા, દેડીયાપાડા