Satya Tv News

જૂની પેંશન યોજના સહીત પોતાની વિવિધ માંગોને લઈને નાંદોદના કોંગ્રેસના ધારાસભ્યને આવેદનપત્ર આપ્યું

સામુહિક પ્રતિજ્ઞા સાથે સૂત્રોચ્ચાર પણ કર્યા

આજે આંબેડકર જયંતીદિને એક તરફ વિવિધ રાજકીય આગેવાનો બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને ફુલહાર કરી આંબેડકર જયંતીની ઉજવણી કરી રહ્યા હતા ત્યારે આંબેડકર ચોક ખાતે શિક્ષકો ભેગા થયાં હતા અને સૂત્રોચ્ચાર કર્યા હતા.જૂની પેંશન યોજના,કરાર આધારિત ભરતી બંધ કરવી સહીત પોતાની વિવિધ માંગોને લઈન તેમણેનર્મદા જિલ્લા સંયુક્ત સરકારી સંઘ દ્વારા નાંદોદ કોંગ્રેસના ધારાસભ્ય પી ડી વસાવાને આવેદનપત્ર આપ્યુંહતું.શિક્ષકોની માંગ છે કે જૂની પેંશન યોજના ફરી શરૂ થવી જોઈએ. કરાર આધારિત ભરતી બંધ કરવીજોઈએ.એ માંગ સાથે શિક્ષકોએ સામુહિક પ્રતિજ્ઞા લઈ જૂની પેંશન યોજના અમારો અધિકાર છે એ મેળવીને જ રહીશું એવી પ્રતિજ્ઞા સાથે સૂત્રોચ્ચાર પણ કર્યા હતા.

નર્મદા જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ નર્મદા જીલ્લા આચાર્ય સંઘ ગુજરાત રાજ્ય સંયુક્ત મોરચાનાં હોદ્દેદારોએ આંબેડકરના ધારાસભ્યને આવેદનપત્ર આપ્યું હતું. આ પ્રસંગે ધારાસભ્ય પીડી વસાવાએ જણાવ્યું હતું શિક્ષકોના પ્રશ્નોની રજૂઆત મને મળી છે.હું શિક્ષકોના પ્રશ્નોની સરકારમાં રજૂઆત કરીશ. અને તેમને ન્યાય મળે તે માટે પૂરતા પ્રયત્નો કરવાની ખાત્રી આપી હતી.

વિડીયો જર્નાલિસ્ટ દીપક જગતાપ,સત્યા ટીવી રાજપીપલા

error: