Satya Tv News

વડોદરાની રિધમ હોસ્પિટલના સહયોગ થી માવતર ટ્રસ્ટ ઘ્વારા વહિયાલ ગામે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરાયુ

આયુષમાન કાર્ડની યોજના ગરીબ પરિવાર માટે આશિર્વાદ સમાન : અરુણસિંહ રણા ( એમ.એલ.એ. વાગરા )

વાગરા ના વહિયાલ ગામે માવતર ટ્રસ્ટ અને વડોદરાની રિધમ હોસ્પિટલ ના સયુંકત ઉપક્રમે સર્વરોગ નિદાન કેમ્પ નું આયોજન કરવા માં આવ્યુ હતુ.કેમ્પ નો પ્રારંભ વાગરા ધારાસભ્ય અરુણસિંહ રણા એ કરાવ્યો હતો.૨૫૦ થી વધુ લોકોએ મેડિકલ કેમ્પ નો લાભ લીધો હતો.

     માવતર ટ્રસ્ટ ઘ્વારા વડોદરાની રિધમ હોસ્પિટલના સહયોગથી વાગરા તાલુકાના વાહિયાલ ખાતે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ હતુ.વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રણાએ સર્વરોગ નિદાન કૅમ્પ નો શુભારંભ કરાવતા કહ્યુ હતુ કે ભાજપાની કેન્દ્રની સરકારે ભારતના ગરીબ માં ગરીબ વ્યક્તિને ગંભીર રોગ અથવા અકસ્માતમાં વિના મૂલ્યે રૂપિયા પાંચ લાખ સુધીની સારવાર કરાવવાની તક મળે તે માટે આયુષમાન કાર્ડની યોજના બનાવી છે.આ કાર્ડ જનતા માટે આશીર્વાદરુપ છે.આ કાર્ડને વાગરા વિધાનસભા ક્ષેત્રમાં ઘર ઘર સુધી પહોંચાડવાનું અમારું અભિયાન ચાલી રહ્યુ છે.જેમાં તંત્ર પણ સહયોગી બની રહ્યુ છે.આમ જનતાના સ્વાસ્થ્યની ચિંતા કરી માવતર ટ્રસ્ટ અને રિધમ હોસ્પિટલ પણ મેડિકલ કેમ્પ કરી રહ્યા છે જે આવકાર દાયક છે,તેમ કહી ધારાસભ્યએ માવતર ટ્રસ્ટના પ્રમુખ અજીતસિંહ રાજ અને તેમની ટીમની કામગીરીને બિરદાવી હતી.સર્વરોગ નિદાન કેમ્પમાં વડોદરાની રિધમ હોસ્પિટલના તબીબ અને નર્સિંગ સ્ટાફે સેવા આપતા અંદાજે ૨૫૦ જેટલા લોકોએ નિદાન કેમ્પનો લાભ લીધો હતો.

       આ પ્રસંગે માવતર ટ્રસ્ટ ના પ્રમુખ અજીતસિંહ રાજે મેડીકલ કેમ્પ માટે વહિયાલ ગામની પસંદગી કરવા બદલ રિધમ હોસ્પિટલ ના સંચાલકો અને મેડીકલ કેમ્પ નો હિસ્સો બનેલા ડોકટર્સ,નર્સિંગ સ્ટાફ તેમજ ગામના સ્વયંસેવકો નો આભાર માન્યો હતો.આ પ્રસંગે તાલુકા સભ્ય જીતેશભાઈ પટેલ,માજી સરપંચ દિપકસિંહ રાજ,રાજેન્દ્રસિંહ,હરદેવસિંહ,પીપલીયા ગામના સરપંચ સહિતના સામાજીક કાર્યકરો ઉપસ્થિત રહી નિદાન કેમ્પને સફળ બનાવ્યો હતો.

જર્નાલિસ્ટ ઝફર ગડીમલ સત્યા ટીવી વાગરા

error: