Satya Tv News

બંગાળી ટીવી ઇન્ડસ્ટ્રીની જાણીતી એક્ટ્રેસ પલ્લવી ડે પોતાના કોલકતા સ્થિત ઘરે મૃત અવસ્થામાં મળી આવી હતી. 20 વર્ષીય પલ્લવીની લાશ ગળેફાંસો ખાતી હાલતમાં મળી હતી. પોલીસે પ્રાથમિક તપાસ બાદ આ આત્મહત્યાનો કેસ હોવાનું જણાવ્યું હતું.

આ કેસમાં પોલીસે આકસ્મિક મોતનો કેસ દાખલ કરીને તપાસ શરૂ કરી છે. પલ્લવીની લાશ ઘરમાં પંખા સાથે લટકતી મળી આવી હતી. પલ્લવીને તરત જ હોસ્પિટલ લઈ જવામાં આવી હતી, પરંતુ હોસ્પિટલ પહોંચે તે પહેલાં જ તેણે રસ્તામાં અંતિમ શ્વાસ લીધા હતા. હોસ્પિટલમાં તેને મૃત જાહેર કરવામાં આવી હતી.

પલ્લવીની લાશને પોસ્ટમોર્ટમમાં મોકલવામાં આવી છે અને પોલીસે તપાસ શરૂ કરી છે. પલ્લવીએ શા માટે આવું પગલું ભર્યું તે અંગે પોલીસ તપાસ કરી રહી છે.

પલ્લવી હાલમાં બંગાળી ટીવી સિરિયલ ‘મોન માને ના’માં લીડ રોલ પ્લે કરતી હતી. આ સિરિયલમાં કામ કરનાર કો-સ્ટાર અનામિત્રાએ કહ્યું હતું કે તેણે બે દિવસ પહેલાં જ પલ્લવી સાથે શૂટિંગ કર્યું હતું. 12 મેના રોજ તેમણે શૂટિંગ કર્યું હતું અને ત્યારબાદ વાત કરી હતી. તે હજી પણ આ વાતનો વિશ્વાસ કરી શકતો નથી. તેને ઘેરો આઘાત લાગ્યો છે. સિરિયલના અન્ય સભ્યે કહ્યું હતું કે તેણે હજી બે દિવસ પહેલાં જ શૂટિંગ કર્યું હતું. તે ડિપ્રેશન કે કોઈ મુશ્કેલીમાં હોય તેમ લાગતું નહોતું.

2017માં પલ્લવીએ ટીવી સિરિયલ ‘અમી સિરાજર બેગમ’ માટે ઓડિશન આપ્યું હતું અને તે સિલેક્ટ થઈ હતી. આ સિરિયલ બાદ પલ્લવી ઘેર-ઘેર લોકપ્રિય થઈ હતી. ત્યારબાદ તેણે ‘રેશમ જપી’, ‘સરસ્વતી પ્રેમ’માં કામ કર્યું હતું. હાલમાં પલ્લવી ‘મોન માને ના’માં લીડ રોલ પ્લે કરતી હતી. સિરિયલમાં તે ગૌરીનું પાત્ર ભજવતી હતી. આ સિરિયલમાં સામ ભટ્ટાચાર્ય તથા અંજના બાસુ હતાં. અંજના આ સિરિયલમાં નેગેટિવ રોલમાં જોવા મળી હતી.

મોતના કલાકો પહેલાં પલ્લવીએ સો.મીડિયામાં પોસ્ટ શૅર કરી હતી. આ પોસ્ટ પરથી લાગતું હતું કે તે બહાર ક્યાંક જમવા ગઈ છે. આ પહેલાં 14મેના રોજ પલ્લવીએ એક વીડિયો પોસ્ટ કર્યો હતો. આ પોસ્ટમાં તે ગીત ગાતી જોવા મળી હતી.

error: