Satya Tv News

બરેલીના બિથરી વિસ્તારમાં મકાન આપવાની લાલચ આપીને 40 લોકોનુ ધર્મ પરિવર્તન કરાવવાની વાત સામે આવી છે. એક ગેંગના ચક્કરમાં ફસાઈને લોકોએ પોતાના ઘરની આગળ ક્રોસના નિશાન લટકાવી દીધા છે. માહિતી મળતા બિથરી પોલીસ જ્યારે ઘટના સ્થળે પહોંચી તો એક ઘરમાં 40 લોકો પ્રાર્થના સભા કરી રહ્યા હતા. પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે.

પોલીસનુ કહેવુ છે કે બિચપુરી ગામમાં ધર્મ પરિવર્તનની માહિતી સામે આવી રહી હતી. છેલ્લા કેટલાક દિવસથી સક્રિય લોકો જઈને લોકોના ઘરમાં પ્રાર્થના સભાઓ કરાવી રહ્યા હતા. આને લઈને હિંદુ સંગઠનના કેસરપુરના રહેવાસીએ પોલીસને માહિતી આપી. પોલીસ ઘટના સ્થળે પહોંચી તો એક ઘરની અંદર લગભગ 40 લોકો પ્રાર્થના કરી રહ્યા હતા. તેમણે બહારથી દરવાજો બંધ કરી લીધો હતો. પોલીસ દરવાજો ખોલાવીને ઘરની અંદર દાખલ થઈ. પૂછપરછ બાદ પોલીસે ગોરખપુરના રહેવાસી અભિષેક ગુપ્તાની ધરપકડ કરી છે. અભિષેક પર આરોપ છે કે મકાનની લાલચ આપીને તે લોકોનુ ધર્મ પરિવર્તન કરાવી રહ્યો હતો. પોલીસનુ કહેવુ છે કે તપાસ બાદ કેસ નોંધવામાં આવશે.

બિચપુરી ગામમાં ધર્મ પરિવર્તનની માહિતી મળી હતી. ઘટના સ્થળે પોલીસની ટીમ મોકલવામાં આવી. એક આરોપીની ધરપકડ કરાઈ છે. તેની પૂછપરછ કરવામાં આવી રહી છે. ધર્મ પરિવર્તનની પુષ્ટિ થઈ નથી. આરોપી અભિષેક ગુપ્તા મેડિકલ કોલેજમાં કામ કરે છે. અભિષેક ગુપ્તા અમુક વર્ષ પહેલા પોતાનો ધર્મ પરિવર્તન કરાવી ચૂક્યા છે. ખ્રિસ્તી બન્યા બાદ તેઓ બરેલી આવ્યા. અન્ય લોકો પણ તેમની મદદ કરી રહ્યા છે.

ખ્રિસ્તી બનીશુ તો અમને મળશે નવુ મકાન

રાજુ પ્રજાપતિ બિચપુરી ગામના રહેવાસી છે જેઓ વ્યવસાયથી ડ્રાઈવર છે. રાજુનુ કહેવુ છે કે બીડીએ અમારા મકાન તોડી રહ્યા છે. અમે ગરીબ માણસ છીએ. ખ્રિસ્તી ધર્મ અપનાવી લઈશુ તો અમને નવુ મકાન મળશે. અમારી મુશ્કેલી દૂર થશે. એવા ધર્મમાં રહેવાથી શુ ફાયદો, જ્યાં આશિયાના જ છીનવી લેવાય.

મકાન, નોકરી અને સારવાર કરાવવાની લાલચ ,ધર્મ પરિવર્તન કરાવનારી ટીમે બિચપુરી ગામમાં કોઈને મકાનની લાલચ આપી તો કોઈના પુત્રને નોકરી લગાવવાની, કોઈકની બીમારી ઠીક કરવા માટે પ્રાર્થના કરાવવામાં આવી.

ચંદપુર બિચપુરીમાં ધર્માંતરણની માહિતી પર સીઓ સાથે પોલીસને મોકલવામાં આવી હતી. ઘટના સ્થળે ધર્માંતરણની કોઈ ઘટના મળી નથી. હિંદુ સંગઠનના એક વ્યક્તિ તરફથી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. કેસની તપાસ ઊંડાણપૂર્વક કરવામાં આવી રહી છે. એક વ્યક્તિની ધરપકડ કરીને તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે.

error: