Satya Tv News

પાટણની યુવતીને વસ્ત્રાલના યુવક સાથે પ્રેમલગ્ન કરવાનું ભારે પડયું હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, મહિલાના એક મહિના પહેલા લગ્ન થયા હતા, પતિ દ્વારા લગ્નના આઠ દિવસ પછી દહેજમાં રૃપિયા અને દાગીનાની માંગણી કરીને ત્રાસ આપવામાં આવતો હતો. જેથી કંટાળીને ગળે ફાંસો ખાઇને આપઘાત કર્યો હતો. આ બનાવ અંગે રામોલ પોલીસે પતિ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આ કેસની વિગત એવી છે કે પાટણ જિલ્લાના આંબાપુર ગામમાં રહેતા સુરેશભાઇ વિઠ્ઠલદાસ પટેલ (ઉ.વ.૫૫)એ રામોલ પોલીસ સ્ટેશનમાં વસ્ત્રાલમાં મહાદેવ ટેકરા પાસે ત્રિવેણી ફ્લેટમાં રહેતા હાર્દિકકુમાર રમેશભાઇ પટેલ સામે ફરિયાદ નોંધાવી છે કે તેમની ૨૮ વર્ષની દિકરી વંદનાબહેનના હાર્દિકકુમાર સાથે તા. ૧૯ એપ્રિલના રોજ પ્રેમ લગ્ન કરવામાં આવ્યા હતા. ત્યારબાદ તેમની પુત્રી અમદાવાદ ખાતે રહેવા આવી ગઇ હતી, લગ્નના આઠ દિવસ પછી આરોપી કહેતો હતો કે તારા પિતાએ કશું આપ્યુ નથી તું હવે જઇને પૈસા અને દાગીના લઇને આવજે તેમ કહીને માનસિક તેમજ શારિરીક ત્રાસ આપતા હતા.

જેથી કંટાળીને ફરિયાદીની દિકરીએ તા. ૨૭ મેના રોજ ઘરમાં ફાંસો ખાઇને આપઘાત કર્યો હતો, ફરિયાદીના જણાવ્યા મુજબ આરોપીના એક લગ્ન થયેલા હતા તેમ છતાં તેમની દિકરી સાથે પ્રેેમ લગ્ન કર્યા હતા લગ્ન પહેલા પણ તારે ક્યાંય જવાનું નહી તેમ કહીને હેરાન પરેશાન કરતો હતો. વીસ દિવસ પહેલા ફરિયાદીની દિકરી વતન ગઇ હતી ત્યારે તેને પિતાને પતિ દ્વારા રૃપિયા અને દાગીનાની માંગણી કરીને હેરાન કરવામાં આવતી હોવાની વાત કરીને હાર્દિક સાથે તેના ઘરે રહેવું નથી તેવી રજુઆત પણ કરી હતી.

error: