Satya Tv News

ભરૂચમાં 2 ઇંચ, અંકલેશ્વરમાં સવા ઇંચ વરસાદ પડ્યો હતો. આ ઉપરાંત અન્ય તાલુકાઓમાં હાંસોટ અને વાલિયામા 17 મિમી, આમોદ અને નેત્રંગમાં 10 મિમી, ઝઘડિયા 14 મિમી, જંબુસર 8 મિમી અને વાગરામાં 7 મિમી વરસાદ નોંધાયો હતો. ભરૂચ અને અંકલેશ્વરમાં ભારે વરસાદના પગલે મુખ્ય માર્ગો ઉપર ઠેર-ઠેર પાણી ભરાયા હતા. તેમજ અત્યંત જર્જરિત રસ્તાઓ ઉપર ખાડા ખબોચિયા ભરાઈ જતા રાહદારીઓ અને વાહન ચાલકોને હાલાકી પડી હતી. ગોલ્ડન બ્રિજ ખાતે હાલ નર્મદા નદી માત્ર 8.53 ફૂટે વહી રહી છે.

error: