Satya Tv News

વાલિયા તાલુકા કોંગ્રેસ કાર્યાલય ખાતે રાષ્ટ્ર ધ્વજ ઊંઘો લહેરાવ્યો
સરારતી તત્વોએ ઊંઘો ઝંડો ફરકાવી કોંગ્રેસ પાર્ટીને બદનામ કર્યો હોવાના આક્ષેપ
આ કૃત્ય કરનાર તત્વો સામે રોષ વ્યકત કર્યો

વાલિયા તાલુકા કોંગ્રેસ કાર્યાલય ખાતે રાષ્ટ્ર ધ્વજ ઊંઘો લહેરાવ્યો હોવાના વિડીયો સામે આવ્યાના મામલામાં કોઈ સરારતી તત્વોએ ઊંઘો ઝંડો ફરકાવી કોંગ્રેસ પાર્ટીને બદનામ કરવાનો પ્રયત્ન કર્યો હોવાના આક્ષેપ કર્યા છે.

સમગ્ર દેશમાં ૭૫મા આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત હર ઘર તિરંગા અભિયાન હાથ ધરવામાં આવ્યું છે દેશવાસીઓએ પોત-પોતાના ઘરે તારીખ-૧૩મી ઓગસ્ટથી ૧૫મી ઓગસ્ટ સુધી રાષ્ટ્ર ધ્વજ લહેરાવી રહ્યા છે ત્યારે વાલિયા ગામમાં આવેલ કોંગ્રેસ કાર્યાલય ખાતે કોંગ્રેસના આગેવાનો દ્વારા રાષ્ટ્ર ધ્વજ લેહરાવામાં આવ્યો છે પરંતુ તે રાષ્ટ્ર ધ્વજ ઊંઘો લહેરાવ્યો હોવાના સામે આવ્યો છે ત્યારે રાષ્ટ્રની વાતો કરનાર કોંગ્રેસ પાર્ટીના કાર્યકરોએ રાષ્ટ્ર ધ્વજ ઊંઘો લહેરાવતા તાલુકાવાસીઓમાં રોષની લાગણી ફેલાઈ જવા પામી છે.ત્યારે આ મામલે રાષ્ટ્ર ધ્વજ ઊંઘો લહેરાવવા બાબતે વાલિયા તાલુકા કોંગ્રેસ પ્રમુખ વિજયસિંહ વસાવાએ તેઓ પાર્ટીની મીટીંગમાં વ્યસ્ત હતા તે સમયે કોઈ સરારતી તત્વોએ ઊંઘો ઝંડો ફરકાવી કોંગ્રેસ પાર્ટીને બદનામ કરવાનો પ્રયત્ન કર્યો છે જે અંગેની જાણ થતા કોંગ્રેસ પાર્ટીના કાર્યકરોએ માનસન્માન રાષ્ટ્ર ધ્વજને ઉતારી લીધો હોવાનું જણાવ્યું હતું અને આ કૃત્ય કરનાર તત્વો સામે રોષ વ્યકત કર્યો હતો

વિડિઓ જર્નલિસ્ટ સંજય વસાવા સાથે સત્યા ટીવી વાલિયા

error: