Satya Tv News

17 સપ્ટેમ્બરના રોજ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિને મુલાકાત કરશે

બારડોલી નગરના બે બાળકો વેવબોર્ડ પર દિલ્હી જવા નીકળ્યા છે. દિલ્હી ખાતે પહોંચી 17મીના રોજ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને મળનાર છે. બંને બાળકો વડનગરથી નીકળી 10 દિવસમાં દિલ્હી વેવબોર્ડ પર સ્કેટિંગ કરીને પહોંચશે. સ્થાનિક ધારાસભ્યએ સવરાજ આશ્રમ ખાતેથી પ્રસ્થાન કરાવ્યું હતું.

સરદાર પટેલની કર્મભૂમિ અને સાહસી પ્રવૃત્તિ માટે જાણીતા સુરત જિલ્લાના બારડોલી ખાતેનાં બે બાળકો ફરી નવીન સાહસ ખેડવા જઈ રહ્યા છે. અને બારડોલીના ઠાકર પરિવારના બંને બાળકો 12 વર્ષનો રુદ્રાક્ષ અને 9 વર્ષનો રિધાન વડા પ્રધાન નરેન્દ્ર મોદીના જન્મ દિવસની અનોખી ભેટ આપનાર છે. બાળકના પિતા સાગર ઠાકર પણ સાહસિક છે. જેથી બાળકો પણ પ્રેરાઈને સાહસ ખેડવાનું નક્કી કર્યું છે. વડનગરથી તેઓ 950 કિમીનું અંતર 10 દિવસમાં કાપી વેવબોર્ડ પર સ્કેટિંગ કરીને દિલ્હી પહોંચનાર છે.

​​​​​​​બારડોલી સ્વરાજ આશ્રમ ખાતે કાર્યક્રમનું આયોજન કરાયું હતું અને સ્થાનિક ધારાસભ્ય ઈશ્વર પરમારના હસ્તે તેઓને પ્રસ્થાન કરાવ્યું હતું. બારડોલી નગરના બંને બાળકોને નવીન સાહસ માટે વડનગર જવા રવાના થયા હતા. વડનગરથી તેઓ વેવબોર્ડ પર સ્કેટિંગ કરી યાત્રા શરૂઆત કરનાર છે. બાળકોના નવીન સાહસ માટે સ્થાનિક ધારાસભ્ય ઈશ્વર પરમારએ પોતાનો એક મહિનાઓ પગાર બાળકો માટે આપવાની જાહેરાત કરી હતી

error: