Satya Tv News

મેન્ટલ હેલ્થ ને લગતી અદ્યતન સુવિધાઓ અને બાળકો,તરુણો અને પુખ્ત વ્યક્તિઓને રીહેબીલેશન ની થેરાપી મળશે

ભરૂચ ના ઝાડેશ્વર ખાતે આવેલ યસ કોમ્પ્લેક્સ માં મનસા ચાઈલ્ડ ડેવોલોપમેન્ટ એન્ડ કાઉન્સેલિંગ શાખાનું ઉદ્દઘાટન કરાયુ
હતુ.ભરૂચ ના જાણીતા મનોવૈજ્ઞાનિક ડૉ. સાજીદ ડાય એ ત્રીજી બ્રાન્ચ શરૂ કરતા મનોરોગ ના શિકાર અને ખોટી આદતો ના ભોગ બનેલા બાળકો,તરુણોની ઉત્તમ સારવાર ભરૂચમાં જ થઈ શકશે.રોટરી કલબ ના પૂર્વ પ્રમુખ ડૉ. વિક્રમ પ્રેમકુમાર અને એજ્યુકેશનલ ઇન્સ્પેકટર નિશાંત દવે ના હસ્તે મનશા ની બ્રાન્ચ નું ઉદ્દઘાટન કરવામાં આવ્યુ હતુ.આ સેન્ટરમાં હેલ્થ ને લગતી વિવિધ અદ્યતન સેવાઓ,બાળકો, તરુણો અને પુખ્ત લોકો ની રીહેબીલેશન ને લગતી અનેક થેરાપી વડે સારવાર મળી રહેશે.સેન્ટરમાં અલગ અલગ ક્ષેત્ર ના થેરાપીસ્તો સેવા આપશે.આ તબક્કે બુદ્ધિ જીવી સહિત ના લોકો ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

ઝફર ગડીમલ સાથે સત્યા ટીવી વાગરા

error: