Satya Tv News

23000 cr ના બેન્ક ફ્રોડ કેસની તપાસ ઈડી અને સીબીઆઈ ચલાવી રહી છે. મુખ્ય આરોપી એબીજી શિપયાર્ડના એમડી ઋષિ અગ્રવાલની ધરપકડના એક દિવસ બાદ હવે ઈડીએ પણ આરોપીની સુરત અને દહેજ ખાતેની 2747 કરોડની સંપત્તિ જપ્ત કરી કરી લીધી છે જેમાં ગુજરાત અને મહારાષ્ટ્રમાં ખેતીની જમીન, પ્લોટ, રહેણાંકના મકાનો સહિતની બીજી ચીજો સામેલ છે. ભારતના અત્યાર સુધીના સૌથી મોટા બેન્ક ફ્રોડમાં મોટી કાર્યવાહી કરતા સીબીઆઈએ ગુજરાત સ્થિત શિપિંગ કંપની ABG Shipyard Ltdના ચેરમેનની ધરપકડ કરી છે. હાલમાં સીબીઆઈ 22,842 હજાર કરોડ બેન્ક ફ્રોડની કરી રહી છે. આ પહેલા સીબીઆઈ આ કેસમાં તેમની સામે લુકઆઉટ નોટિસ જારી કરી ચૂકી છે.

સીબીઆઈ સૂત્રોએ કહ્યું કે 28 બેન્કોને 22,842 કરોડની ઠગવા બદલ સુરત સ્થિત ABG Shipyardના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટરની ધરપકડ કરવામાં આવી છે. એબીજી શિપયાર્ડે 2012થી 2017 વચ્ચે 28 બેન્કોના જૂથને 22,842 કરોડ રૂપિયાનો ફ્રોડ આચર્યો હતો જે થોડા સમય પહેલા બહાર આવ્યો હતો. સીબીઆઈ આ કેસની તપાસ કરી રહી છે. આ બેંકોમાં સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (એસબીઆઇ), આઇડીબીઆઇ અને આઇસીઆઇસીઆઇનો સમાવેશ થાય છે.

error: