Satya Tv News

સુરતમાં ફટાકડાની દુકાનમાં ભીષણ આગ લાગતા ભાગદોડ મચી ગઇ હતી. મળતી જાણકારી અનુસાર, સુરતના મોરા ભાગળની વિસ્તારની ફટાકડાની દુકાનમાં આગ લાગતા અફરાતફરી મચી ગઇ હતી. સી.કે.ક્રેકર્સ નામની ફટાકડાની દુકાનમાં આગ લાગી હતી. આગની ઘટનાની જાણ થતા પાંચથી વધુ ફાયર ફાઇટરની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી. કોઇ જાનહાનિ થયાના સમાચાર નથી.

દુકાનમાં આગને પગલે આસપાસ ધૂમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા. ફાયર વિભાગે પાણીનો મારો ચલાવી આગ બુજાવવાના પ્રયાસો શરૂ કર્યા હતા. હાલમાં આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો છે.

error: