Satya Tv News

પોતાનાં ખાતાંમાથી બધી બેરેકમાં મીઠાઈ વહેંચી હતી
જેલમાં સાથી માનવ અધિકાર કાર્યકર્તાએ વિગતો આપી
પોતે હિરોઈન હોવાનું ભૂલી બધા સાથે ભળી ગઈ હતી

મુંબઈ : સુશાંત કેસમાં આરોપી રિયા ચક્રવર્તી તેની જ્યુડિશિયલ કસ્ટડીમાંથી મુક્તિના છેલ્લા દિવસે જેલના કેદીઓ સાથે મન મુકીને નાચી હતી અને તેણે પોતાનાં ખાતાંમાંથી તમામ બેરેકમાં મીઠાઈ પણ વહેંચી હતી તેવી વિગતો તે જ સમયે જેલમાં રહેલાં એક માનવ અધિકાર કાર્યકર્તાએ આપી છે. ભીમા કોરેગાંવ કેસમાં ધરપકડને પગલે ભાયખલ્લા જેલમાં રહેલાં અને ગયા ડિસેમ્બરમાં જેલમાંથી મુક્ત થયેલાં સુધા ભારદ્વાજે એક ઈન્ટરવ્યૂમાં રિયાના જેલવાસ વિશેની કેટલીક વિગતો રજૂ કરી હતી.

તેમના જણાવ્યા અનુસાર રિયા પોતે કોઈ હિરોઈન છે કે ગ્લેમર વર્લ્ડમાંથી આવે છે તેનું કોઈ અભિાયન રાખ્યા વિના એકદમ નમ્રતાથી બધા સાથે હળીભળી ગઈ હતી. તે અરસામાં તેના પર મીડિયા ટ્રાયલ ચાલી હતી પણ રિયાએ એ બધું બહુ ખેલિદિલી પૂર્વક સ્વીકાયું હતું. જોકે, રિયાને બેરેકને બદલે એક સ્પેશ્યલ સેલમાં રાખવામાં આવી હતી અને ત્યાં ટીવી ન હતું.

તેમણે કહ્યું હતું ક રિયા ખાસ તો મહિલા કેદીઓના બાળકો સાથે બહુ સારી રીતે હળીમળી ગઈ હતી. સૌ હંમેશા રિયા વિશે પૂછતા રહેતા હતા. છેલ્લા દિવસે બધા તેને વિદાય આપી રહ્યા હતા ત્યારે તેણે પોતાના ખાતાંમાથી બચેલા પૈસામાંથી મીઠાઈ મગાવીને બધી બેરેકમાં વહેંચી હતી. તે વખતે જ રિયાને કોઈએ વિદાય વેળા ડાન્સ કરવાનું કહેતાં તે બધા સાથે મન મુકીને ઝૂમી ઉઠી હતી.

ઉલ્લેખનીય છે કે સુશાંત સિંહ રાજપૂતનાં મોત બાદ તેના પિતાએ રિયા પર આપઘાતની દુષ્પ્રેરણા તથા નાણાંની ઉચાપતનો કેસ કર્યો હતો. આ કેસ બાદમાં સીબીઆઈને ટ્રાન્સફર થયો હતો. આ જ કેસમાંથી ડ્રગ કેસનો પણ ફણગો ફૂટયો હતો. રિયા ૨૮ દિવસ જેલમાં રહ્યા બાદ ઓક્ટોબર ૨૦૨૦માં જામીન પર મુક્ત થઈ હતી.

error: