મધ્યપ્રદેશના મુરૈનામાં ગેરકાયદેસર ફટાકડાની ફેક્ટરીમાં વિસ્ફોટ થયો હોવાની ઘટના સામે આવી છે. ઘટનામાં આખી ઈમારત ધ્વસ્ત થઈ ગઈ છે. ઈમારતના કાટમાળમાં અડધા ડઝનથી વધારે લોકો દબાયેલા છે. દુર્ઘટનામાં 3 લોકોના મોત નીપજ્યા અને 7 લોકો ઈજાગ્રસ્ત થયા છે.
મુરૈનાના બાનમોર નગરમાં જેતપુર રોડની આ ઘટના છે. અહીં અચાનક ફટાકડાના ગોડાઉનમાં વિસ્ફોટ થઈ ગયો. જે બાદ આ સમગ્ર ઈમારત ધ્વસ્ત થઈ ગઈ. ગોડાઉનના માલિક બાનમૌર નિવાસી વ્યવસાયી નિર્મલ જૈન છે. આ મકાનમાં ભાડુઆત પણ રહેતા હતા.
વિસ્ફોટની માહિતી મળ્યા બાદ પોલીસ વહીવટીતંત્રની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ છે. વહીવટીતંત્ર સ્થાનિક લોકોની મદદથી કાટમાળમાં દબાયેલા લોકોને બહાર કાઢવાનો પ્રયત્ન કરી રહ્યા છે.