Satya Tv News

મધ્યપ્રદેશના મુરૈનામાં ગેરકાયદેસર ફટાકડાની ફેક્ટરીમાં વિસ્ફોટ થયો હોવાની ઘટના સામે આવી છે. ઘટનામાં આખી ઈમારત ધ્વસ્ત થઈ ગઈ છે. ઈમારતના કાટમાળમાં અડધા ડઝનથી વધારે લોકો દબાયેલા છે. દુર્ઘટનામાં 3 લોકોના મોત નીપજ્યા અને 7 લોકો ઈજાગ્રસ્ત થયા છે.

મુરૈનાના બાનમોર નગરમાં જેતપુર રોડની આ ઘટના છે. અહીં અચાનક ફટાકડાના ગોડાઉનમાં વિસ્ફોટ થઈ ગયો. જે બાદ આ સમગ્ર ઈમારત ધ્વસ્ત થઈ ગઈ. ગોડાઉનના માલિક બાનમૌર નિવાસી વ્યવસાયી નિર્મલ જૈન છે. આ મકાનમાં ભાડુઆત પણ રહેતા હતા.

વિસ્ફોટની માહિતી મળ્યા બાદ પોલીસ વહીવટીતંત્રની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ છે. વહીવટીતંત્ર સ્થાનિક લોકોની મદદથી કાટમાળમાં દબાયેલા લોકોને બહાર કાઢવાનો પ્રયત્ન કરી રહ્યા છે.

error: