Satya Tv News

વાલિયા ગામની ગણેશ નગરમાં રહેતી પરણીતાને સાસરિયાંઓનો ત્રાસ
દહેજની માંગણી કરી શારીરિક અને માનસિક ત્રાસ ગુજારતા ફરિયાદ
મહિલા પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાવવા પામી

વાલિયા ગામની ગણેશ નગરમાં રહેતી પરણીતાને ઓલપાડના ઉમરાછીના સાસરિયાંઓએ દહેજની માંગણી કરી શારીરિક અને માનસિક ત્રાસ ગુજારતા મહિલા પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાવવા પામી છે.

વાલિયા ગામની ગણેશ નગરમાં રહેતી પરણીતા દીવ્યરાજકુમારીના લગ્ન ગત તારીખ-૨૮ જાન્યુઆરી ૨૦૧૯ના રોજ દેસાડ ગામ ખાતે ઓલપાડના ઉમરાછી ગામના મિતેશકુમાર સુરેન્દ્રસિંહ બારડ સાથે થયા હતા જેઓને બે મહિના બાદ સાસરીમાં સાસુ હંસાબેન સુરેન્દ્રસિંહ બારડ,સસરા સુરેન્દ્રસિંહ ખુમાનસિંહ બારડ અને મોટી સાસુ-મોટા સસરા તેમજ નણંદ,નણંદોઈ સહીત પતિ દ્વારા દહેજ બાબતે ઝઘડો કરી અપશબ્દો ઉચ્ચારી શારીરિક અને માનસિક ત્રાસ ગુજારી હેરાન પરેશન કરતા હતા અને અભણ કહી ટોણા મારી વારંવાર હેરાન ગતિ કરતા હતા આ અંગે પરણીતાએ ભરૂચ મહિલા પોલીસ મથક ખાતે સાસુ-સસરા અને મોટી સાસુ-મોટા સસરા તેમજ પતિ અને નણંદ,નણંદોઈ સહીત આઠ ઈસમો સામે ફરિયાદ નોંધાવી છે.પોલીસે પરણીતાની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે

વિડિઓ જર્નલિસ્ટ સંજય વસાવા સાથે સત્યા ટીવી વાલિયા

error: