Satya Tv News

ભરૂચ કોસમડીના વૃદ્ધ પર શ્વાનના ટોળાનો કર્યો હુમલો

પાળેલા શ્વાનને બચાવવા જતાં શ્વાનો એ વૃદ્ધ પર કર્યો હુમલો

ઇજાગ્રસ્ત વૃદ્ધને સારવાર હેઠળ ખસેડ્યો

અંકલેશ્વરના કોસમડીમાં મોરા ફળીયામાં 70 વર્ષીય વૃદ્ધ પર શ્વાનના ટોળાએ હુમલો કરતા સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા

:

અંકલેશ્વર તાલુકા ના કોસમડીના મોરા ફળિયામાં રહેતા 70 વર્ષીય અમરસંગ વસાવા એ એક શ્વાન પાળેલો છે.તેમના આ પાળેલા શ્વાન પર કેટલાક રખડતા શ્વાનોએ હુમલો કર્યો હતો.આ હુમલા માં પોતાના શ્વાન ને બચાવવા અમરસંગ ભાઈ વચ્ચે પડ્તા છંછેડાયેલા આ શ્વાનો ના ટોળાએ તેઓ પર જ હુમલો કરી મોઢા અને હાથ પગ પર તુટી પડયા હતા. શ્વાન ના ટોળાના હુમલા માં અમરસંગ વસાવા મોઢા, હાથ સહિતના ભાગો પર ઇજા થતા પરિવાર જનો તેમને સારવાર અર્થે ભરુચ સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા..ભરૃચ સહિત સમગ્ર જિલ્લા માં રખડતા શ્વાનો ના હુમલા ના અને કરડવાના બનાવો માં વધારો થયો છે ત્યારે તંત્ર આવા શ્વાનો પર કાબૂ મેળવવા રસીકરણ કે ખસીકરણ જેવી કાર્યવાહી કરે તે આવશક છે.

વિડીયો જર્નાલિસ્ટ વીરેન્દ્ર પાટીલ સાથે સત્યા ટીવી ભરૂચ

error: