Satya Tv News

આલિયાબાનુના ડૉકટર બનવાના સ્વપ્નમાં આર્થિક સંકટને દૂર કરતુ જિલ્લા વહીવટી તંત્ર, ભરૂચ

ભરૂચ મહેસૂલ વિભાગ તરફથી એકત્રિત થયેલ લોકફાળાનો રૂ. ૪.૦૦ લાખનો બેંકસૅ ચેક કલેકટર તુષાર સુમેરાએ આલિયાબાનુ પટેલને એનાયત કર્યો

ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર અંતગૅત મહેસૂલ વિભાગ તરફથી એકત્રિત થયેલ લોકફાળાની રકમ રૂ. ૪.૦૦ લાખનો બેંકસૅ ચેક ૧૨ મે ૨૦૨૩ના રોજ જિલ્લા કલેકટર તુષાર સુમેરાના હસ્તે કુ. આલિયાબાનુ ઐયુબભાઈ પટેલને એનાયત કર્યો હતો.નિયત સમયગાળામાં એમ.બી.બી.એસ અભ્યાસક્રમની શૈક્ષણિક ફી એકત્રિત થયેલ લોકફાળામાંથી ચૂકવી સક્રિયપણે નિરંતર અભ્યાસ કરી તેણી ડોક્ટર બનવાનું સ્વપ્ન પૂરૂ કરવામાં સફળતા મેળવે.તેમજ ભવિષ્યમાં દેશ તથા સમાજના વિકાસમાં વિશિષ્ટ યોગદાન આપે એવી શુભેચ્છા જિલ્લા વહીવટી તંત્ર, ભરૂચ દ્રારા પાઠવવામાં આવી હતી.


અત્રે ઉલ્લેખનીય છે કે ૧૨ મે ૨૦૨૨, ગુરુવારના રોજ દુધધારા ડેરી ગ્રાઉન્ડ, ભરૂચ ખાતે પ્રધાનમંત્રીની વર્ચ્યુઅલ હાજરીમાં તથા મુખ્યમંત્રી ની પ્રેરક ઉપસ્થિતિમાં “ઉત્કર્ષ પહેલ” અંતર્ગત લાભાન્વિત થયેલ તમામ લાભાર્થીઓની ઉપસ્થિતિમાં આયોજિત “ઉત્કર્ષ સમારોહ”માં પ્રધાનમંત્રીએ અનેક લાભાર્થીઓ સાથે સંવાદ કર્યો હતો.જે પૈકી વાગરાના ઐયુબભાઈ ઇબ્રાહિમભાઈ પટેલ જોડે કરેલો સંવાદ ખુબ જ લાગણીસભર અને પ્રધાનમંત્રીને પણ ભાવુક બનાવી દીધા હતા.

પ્રજ્ઞાચક્ષુ પિતાને પોતાની ત્રણેય દીકરીઓને ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરાવવાની ખેવના

      વાત એમ છે કે,વાગરા ખાતે રહેતા ઐયુબભાઈ ઇબ્રાહિમભાઈ પટેલ નામના ૫૧ વર્ષીય સદગૃહસ્થે થોડાક વર્ષો પહેલા ગલ્ફ દેશમાં વ્યવસાય કરતા હતા.તે દરમિયાન કોઇ દવાની આડઅસરમાં તેમની આંખોમાંથી રોશની જતી રહી હતી. ઐયુબભાઈને પોતાના પરિવારમાં ૦૬ વ્યકિતનું લાલનપાલન કરવાનું હતુ.તેમને સંતાનોમાં ત્રણ પુત્રી છે અને ત્રણેયને સારી રીતે ભણાવવાની ઐયુબભાઈની ખેવના હતી.

   પ્રધાનમંત્રી એ પ્રાસંગિક વાતચીત અને યોજનાકીય લાભોનો પ્રતિભાવ મેળવ્યા બાદ એવુ પૂછ્યુ હતુ કે, “તમે તમારી પુત્રીને શું બનાવવા ઈચ્છો છો? દિકરીઓને ભણાવો છો?” તેવા પ્રશ્નના પ્રત્યુત્તરમાં ઐયુબભાઈએ જણાવ્યુ હતુ કે, " મારી એક દીકરીને રાઇટ ટુ એજ્યુકેશન હેઠળ ધોરણ એકમાં પ્રવેશ મળ્યો છે.જ્યારે બીજી દીકરીને રૂ. ૧૦ હજારની સ્કોલરશીપ મળી છે. મારી દીકરીને ડોક્ટર બનાવવા માંગુ છું." જોગાનુજોગ, એ દિવસે ધોરણ – ૧૨ના વિજ્ઞાન પ્રવાહનું પરિણામ પણ હતુ જેમાં મોટી પુત્રી આલિયા ૭૯.૮૦ % અને ૯૫.૧૦ પર્સન્ટાઇલ રેન્કથી ઉત્તીર્ણ થયા હતા. 

પ્રધાનમંત્રી પણ આલિયા સાથે વાત કરીને થોડી ક્ષણ માટે ભાવુક થઈને કહ્યુ, “ઐયુબભાઈ ! તમારી પીડાએ દીકરીને ડોક્ટર બનવાની પ્રેરણા આપી છે.”

     વાત અહીંથી વળાંક લીધી અને પ્રધાનમંત્રી એ અચાનક આલિયા સાથે વાત કરવાનું શરૂ કર્યું હતુ.આલિયાએ પોતાની અભ્યાસની વિગતો આપી હતી.બાદમાં પિતાની વાત કરતા આલિયાની આંખ અશ્રુભીની થઈ ગઈ હતી.આ જોઈ  પ્રધાનમંત્રી પણ થોડી ક્ષણ માટે ભાવુક થઈ ગયા હતા. સભામંડપમાં પણ લાગણીસભર દ્રશ્યોમાં ગરકાવ થઈ ગયો હતો.આ ક્ષણે  પ્રધાનમંત્રીએ ઐયુબભાઈને કહ્યુ કે, દીકરીની સંવેદના એ જ તમારી તાકાત છે,શક્તિ છે.દીકરીઓના સપના પૂરા કરજો અને કોઈ પણ તકલીફ હોય તો મને કહેજો.તમારી પીડાએ દીકરીને ડોક્ટર બનવાની પ્રેરણા આપી છે.

   ઐયુબભાઈ પટેલની દીકરીના ડોક્ટર બનવાનું સ્વપ્ન પૂરૂ કરતાં કોઇ પણ પ્રકારની અડચણરૂપ બાધામાં સંકટમોચનરૂપી સાર્થક બનવા માટે પ્રધાનમંત્રીના સાંકેતિક અભિગમને યાદ રાખીને ઐયુબભાઈ પટેલની દીકરી કુ. આલિયાબાનુ પટેલે એમ.બી.બી.એસની ડિગ્રી પ્રાપ્ત કરવા સારું સારી કોલેજમાં એડમિશન માટે જરૂરી ટેકો કરવા અરજ કરી હતી.

  એમ.બી.બી.એસ અભ્યાસક્રમની શૈક્ષણિક ફી ચૂકવવામાં જરૂરી નાણાંકીય સહાયરૂપ થવા સારૂ જિલ્લા વહીવટી તંત્ર, ભરૂચ અંતર્ગત મહેસૂલ વિભાગના મહત્તમ અધિકારીઓથી લઈને અનેક કર્મચારીશ્રીઓએ ટૂંકા સમયગાળામાં સ્વૈચ્છિકપણે અને નિજી ક્ષમતાનુસાર નાણાંકીય ફાળો ફાળવી કુલ ₹.૪.૦૦ લાખનો લોકફાળો એકત્રિત કરવામાં સામુહિક પ્રયાસની ક્ષમતાનું એક ઉત્કૃષ્ટ દૃષ્ટાંત પૂરું પાડ્યુ હતુ.

જર્નાલિસ્ટ ઝફર ગડીમલ,સત્યા ટીવી-વાગરા

error: