Satya Tv News

અમરનાથ યાત્રામાં વધુ એક શ્રદ્ધાળુનું મૃત્યુ
ફતેહપુરા પીતાંબર પોળના યુવકનું મૃત્યુ
હાર્ટ એટેક આવતા ખસેડાયા હતા હોસ્પિટલમાં
અમરનાથ યાત્રા દરમિયાન વધુ એક ગુજરાતી શ્રદ્ધાળુના મૃત્યુના સમાચાર સામે આવી રહ્યા છે. પહેલગાવની હોસ્પિટલમાં વડોદરાના યુવકનું હાર્ટ એટેકથી મૃત્યુ નિપજ્યું છે. હાલ યુવકના મૃતદેહને વડોદરા લાવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. મહત્વનું છે કે, અમરનાથની યાત્રા હવે ગુજરાતીઓ માટે જીવલેણ સાબિત થઈ રહી છે. છેલ્લા 10 દિવસમાં ચોથા ગુજરાતી શ્રદ્ધાળુનું યાત્રા દરમિયાન મોત નિપજ્યું છે.

બે દિવસમાં આવ્યા ત્રણ હાર્ટ એટેક
મળતી માહિતી અનુસાર, વડોદરાના ફતેહપુરા ખાતે આવેલી પીતાંબરની પોળમાં રહેતા 33 વર્ષીય ગણેશ કદમ વડોદરાથી 10 મિત્રો સાથે અમરનાથ યાત્રાએ ગયા હતા. તેઓ પહેલગામ ખાતે આવેલી એક હોટલમાં રોકાયા હતા. જ્યાં તેમને બે દિવસ પહેલા ઉલટી થતાં મિત્રો સ્થાનિક હોસ્પિટલ ખાતે સારવાર અર્થે લઈ ગયા હતા. જ્યાં તેમને બે વખત હાર્ટ એટેક આવ્યા હતા, પરંતુ તેઓ બચી ગયા હતા, પરંતુ આજે આવેલો ત્રીજો હાર્ટ એટેક જીવલેણ સાબિત થયો હતો.

error: