Satya Tv News

ગત તારીખ-20મી ઓગસ્ટના રોજ વાલિયા તાલુકાનાં ડુંગરી ગામના કણબીપીઠા ફળિયામાં રહેતાં બબીતાબેન અંબુભાઈ વસાવા પતિ અંબુભાઇ વસાવા અને પુત્ર ભાવેશ વસાવા સાથે રાતે નવ કલાકે જમવા બેઠા હતા તે દરમિયાન પુત્રએ જમવા બાબતે માતા સાથે માથાકૂટ કરતાં પિતાએ તેને ચૂપચાપ જમી લેવાનું કહેતા જ જલ્લાદ બનેલ પુત્રએ પિતાને લાકડાના પાટિયા વડે માથામાં અને શરીરે ઇજાઓ પહોંચાડી ફરાર થઈ ગયો હતો ઇજાઓને પગલે અંબુભાઇ વસાવાને સુરતની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જ્યાં ટૂંકી સારવાર દરમિયાન તેઓનું કરૂણ મોત નીપજયું હતું.બનાવ અંગે વાલિયા પોલીસે હત્યા અંગેનો ગુનો ગણતરીના કલાકોમાં હત્યારા પુત્રને ઝડપી પાડી તેને જેલભેગો કર્યો છે.

error: