Satya Tv News

આવનાર હિંદુ મુસ્લિમ ભાઈઓ નાં તહેવારો ને ધ્યાને લઇ શાંતિ સમિતિની બેઠક યોજવામાં આવી.

આ બેઠકમાં રાજપારડી પોલીસ સ્ટેશન વિસ્તારનાં આજુબાજુના ગામનાં આગેવાનો સરપંચો તેમજ હોદ્દેદારો હાજર રહ્યા હતાં.

આ બેઠક રાજપારડી ગૃપ ગ્રામપંચાયતના આવેલા અતિથિગૃહ ખાતે રાખવામાં આવી..

આવનારા હિંદુ મુસ્લિમ ભાઈઓ નાં તહેવારો જેવા કે ગણેશ મહોત્સવ અને ઈદે મીલાદના જેવા ધાર્મિક પવઁ નાં તહેવારો એક સાથે આવતાં જેને ધ્યાને લઇ રાજપારડી પોલીસ સ્ટેશનનાં પી એસ આઈ એ.બી.મેરની અધ્યક્શતામાં રાજપારડી ગૃપ ગ્રામપંચાયત નાં અતિથિગૃહ ખાતે શાંતિ સમિતિની બેઠક યોજવામાં આવી હતી.

આ બેઠકમાં રાજપારડી પોલીસ સ્ટેશન વિસ્તારનાં હિંદુ મુસ્લિમ ભાઈઓ તથા આગેવાનો તેમજ હોદ્દેદારો અને સરપંચો હાજર રહ્યા હતાં.આ બેઠકમાં રાજપારડી પોલીસ સ્ટેશન નાં પી.એસ.આઈ એ.બી.મેર દ્વારા આવનારા તહેવારો વિષે ખાસ ધ્યાને લઇ સુચનો આપવામાં આવ્યા હતા.હિંદુ મુસ્લિમ એકતા કાયમ રહે તેમજ કાયદો અને વ્યવસ્થા જળવાય રહે તે માટે ખાસ સુચનો આપવામાં આવ્યા હતા. આ પ્રસંગે હિંદુ મુસ્લિમ એકતા નું ઉદાહરણ પૂરું પાડતાં આગેવાનો તેમજ હોદ્દેદારો અને સરપંચો હાજર રહ્યા હતાં

વિડિઓ જર્નાલિસ્ટ પ્રકાશ ચૌહાણ સત્યા ટીવી ઝઘડિયા

error: