Satya Tv News

ICMRના ડાયરેક્ટર રાજીવ બહલે કહ્યું કે કેરળમાં નિપાહ વાયરસને ફેલાતો અટકાવવા માટે બધા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. તેમણે કહ્યું, “બધા દર્દી એક સંક્રમિત દર્દીના સંપર્કમાં છે. વિવિધ ક્ષેત્રોના નિષ્ણાંતો વાળી એક કેન્દ્રીય ટીમ પણ સ્થિતિની તપાસ કરવા અને ઉપચારાત્મક ઉપાય જણાવવા માટે કોઝિકોડ જિલ્લામાં પહોંચી ગઈ છે. કોન્ટેક્ટ ટ્રેસિંગ હેઠળ 1000થી વધારે લોકોની જાણકારી મેળવવામાં આવી છે.”

ICMR અધિકારીએ નિપાહ વાયરસને રોકવા અને ફેલાતો અટકાવવા માટે ઉઠાવવામાં આવતા દરેક પગલા વિશે પણ જાણકારી આપી છે

“નિપાહ વાયરસના ફેલાવવું મુખ્ય કારણ છે સંક્રમિત વ્યક્તિના સંપર્કમાં આવવુ અને તેના બાદ અન્ય વ્યક્તિઓનું બીજા વ્યક્તિના સંપર્કમાં આવવું જે સંક્રમિતને મળી ચુક્યું છે. તેનાથી બચવા માટે વારંવાર હાથ ધોવા, માસ્ક લગાવવું, ડિસ્ટન્સ જાળવવું જરૂરી છે. આઈસોલેશન પણ બચવાની એક રીત છે. લક્ષણ દેખાવવા પર વ્યક્તિ પોતાને અલગ કરી લે અને તરત ડોક્ટરોના સંપર્કમાં આવે.”

error: