Satya Tv News

સુરતના મહિધરપુરામાં 88 લાખ રૂપિયાની લૂંટ થઈ હોવાની ઘટના સામે આવી છે. બાઈકચાલક શખ્સોએ અપહરણ કરીને લૂંટ કરી હોવાની વાત સામે આવી છે. જો કે, હાલ ફરિયાદી પોતે જ શંકાના દાયરામાં હોવાની પોલીસે વાત કરી છે. આંગડિયા પેઢીમાં રૂપિયા લેવા આવેલા કર્મચારીને કેટલાક શખ્સોએ લૂંટ્યો હોવાની વાત સામે આવી છે.

પહેલા ભોગ બનનાર કર્મચારીએ હીરા લૂંટાયા હોવાની વાત કરી હતી. તો હીરાની વાત કર્યા બાદ અપહરણ કરીને રૂપિયાની લૂંટ કરી હોવાનો દાવો કર્યો હતો. લૂંટાયેલા કર્મચારીની વાતોના આધારે તે પોતે જ શંકાના દાયરામાં આવ્યો છે. અપહરણ કરીને લૂંટની ઘટના ઉપજાવી હોય તેવી શંકાના આધારે પોલીસે તપાસ હાથ ધરી છે.

error: