Satya Tv News

વાલિયા-નેત્રંગ માર્ગ ઉપર પઠાર ગામની નવી નગરી પાસે ફોર વ્હીલ ચાલકે નેત્રંગની એમ.એમ.ભક્ત સ્કૂલની શિક્ષિકાની મોપેડને ટક્કર મારતા પાછળ બેઠેલ આચાર્યનું ગંભીર ઇજાઓને પગલે કરૂણ મોત નીપજયું હતું

નેત્રંગની ઓફિસર કોલોનીમાં રહેતી અને નેત્રંગની એમ.એમ.ભક્ત સ્કૂલમાં શિક્ષિકા તરીકે ફરજ બજાવતા પુષ્પાબેન ઉમેશ પાટિલ અને શાળાના પ્રિન્સિપાલ મનીલાબેન કેસરીસિંહ દેસમુખ ગત રોજ બપોરે પ્લેઝર ગાડી નંબર-જી.જે.05.એમ.પી.0108 લઈ કામ અર્થે પઠાર ગામની પ્રાથમિક શાળા ખાતે ગયા હતા જેઓ ત્યાંથી પરત નેત્રંગ ખાતે જવા નીકળ્યા હતા તે દરમિયાન પઠાર ગામની નવી નગરી પાસે પાછળથી પુરપાટ ઝડપે ધસી આવેલ અલ્કાઝર ફોર વ્હીલ ગાડી નંબર-જી.જે.22.પી.0108ના ચાલકે શિક્ષિકાની મોપેડને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો આ અકસ્માતમાં પાછળ બેઠેલ પ્રિન્સિપાલ મનીલાબેન દેસમુખ માર્ગ ઉપર ફંગોળાઈ પટકાતાં તેઓને શરીરે ગંભીર ઇજાઓ પહોંચતા તેઓનું ઘટના સ્થળે જ કરૂણ મોત નીપજયું હતું જ્યારે ઇજાઓને પગલે પુષ્પાબેન પાટિલને 108 સેવાની મદદ વડે પ્રથમ નેત્રંગ ત્યાર બાદ વધુ સારવાર માટે અંકલેશ્વરની ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી.અકસ્માત અંગે વાલિયા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

વિડિઓ જર્નાલિસ્ટ સંજય વસાવા સત્યા ટીવી વાલિયા

error: