Satya Tv News

સુરતના પાલ વિસ્તારમાં 25 ફેબ્રુઆરીએ પરિણીતાએ નવમા માળેથી મોતની છલાંગ લગાવી હતી. નીચે પટકાતાંની સાથે જ આસપાસના લોકો દોડી આવ્યા હતા, પરંતુ મહિલાનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. ઘટના અંગે પાલ પોલીસને જાણ કરતાં દોડી આવી હતી અને તપાસ હાથ ધરી હતી. એમાં મૃતકના ભાઈની ફરિયાદના આધારે સાસરિયાંઓ સામે દુષ્પ્રેરણાની ફરિયાદ નોંધી પાલ પોલીસે આજરોજ તેમની ધરપકડ કરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે 24 ફેબ્રુઆરીના રોજ પરિણીતાનો બર્થ ડે હતો ત્યારે પણ તેને ખાવાનું ન આપી કપડાંના વેપારી એવા પતિએ મારઝૂડ કરી હતી. ત્યાર બાદ બીજા દિવસે પરિણીતાએ આપઘાત કરી લીધો હતો.

error: