Satya Tv News

  • ઉત્તરપ્રદેશના મલ્લાવાન-ઉન્નાવ રોડ પર રેતી ભરેલી ટ્રકે પલટી મારતા મોટી દુર્ઘટના સર્જાઇ છે. અકસ્માતની ઘટનામાં એક જ પરિવારના 8 લોકોના મોત નિપજ્યા છે.. મૃતકોમાં દંપતી, તેમની ચાર પુત્રીઓ, જમાઈ અને પૌત્રીનો સમાવેશ થાય છે. રેતી ભરેલી ટ્રક રોડની સાઈડમાં આવેલી ઝૂંપડી પર પલટી જતા દુર્ઘટના સર્જાઇ હતી. ઘટના બાદ પોલીસે ટ્રક ચાલકની ધરપકડ કરી તપાસ હાથ ધરી છે.
error: