Satya Tv News

આગ્રા : ઉત્તર પ્રદેશના આગ્રામાં ૨૪ વર્ષના એક વ્યકિતના અજબગજબ દાવાથી ખળભળાટ મચી ગયો છે. તેના જણાવ્યા મુજબ, જમીન વિવાદમાં ચાર વ્યકિતઓએ તેને ખેતરમાં જીવતો દાટી દીધો હતો. રખડતા ડોગ્સે જમીન ખોદીને તેને બહાર નીકાળ્યો હતો. 

રૂપકિશોર ઉર્ફે હેપ્પી નામના પીડિતે આરોપ લગાવ્યો છે કે, ૧૮ જુલાઈના રોજ ચાર આરોપીઓ- અંકિત, ગૌરવ, કરણ અને આકાશે તેને અરટોની વિસ્તારમાં ઢોર માર માર્યો હતો અને તેને જમીનમાં દાટી દીધો હતો. આરોપીઓએ માની લીધું હતું કે, તેનું મોત થઈ ગયું છે. 

પીડિતના જણાવ્યા અનુસાર, જ્યાં તેને દાટવામાં આવ્યો હતો ત્યાં વિસ્તારના રખડતા ડોગ્સે જમીન ખોદવાની શરૂઆત કરી દીધી હતી. તેમણે માટી હટાવી દીધી હતી. ત્યારબાદ, એક ડોગે તેને બચકુ ભરતા તે ભાનમાં આવ્યો હતો. 

રૂપકિશોરની માતાનો આરોપ છે કે, તેમના દીકરાને ચાર હુમલાખોરો બળજબરીપૂર્વક ઉઠાવીને લઈ ગયા હતા. પોલીસના જણાવ્યા અનુસાર, આ મામલાની તપાસ કરવામાં આવી રહી છે. ચાર આરોપીઓની ધરપકડ માટે પ્રયત્નો કરવામાં આવી રહ્યાં છે.

error: