Satya Tv News

પોલીસ રિમાન્ડ દરમિયાન આરોપીઓએ ચોંકાવનારી કબૂલાત કરી લીધી છે. માહિતી અનુસાર, પથ્થરમારો કરનાર પાંચેય યુવકો 2.5 કિલોમીટર દૂરથી આવ્યા હોવાનો ખુલાસો થયો છે. સૈયદપુરામાં 5 યુવાનો પોતાના ઘરેથી ટોળામાં આવીને ભળી ગયા હતા. આ પાંચેય યુવકોએ ટોળામાં ભળી જઈને ઘટનાને અંજામ આપ્યો હતો.આરોપીઓ પથ્થરમારો કર્યા બાદ નાસી જવાની કોઈ જગ્યા નહીં મળતા આસપાસ કોઈના ઘરમાં છુપાયા હોવાનું સામે આવ્યું છે. ક્રાઈમ બ્રાન્ચની ટીમે કોમ્બિંગ કરી આરોપીઓની ધરપકડ કરી હતી. હાલમાં આ પાંચેય યુવકો પોલીસના રિમાન્ડ હેઠળ છે. કોર્ટે 23 આરોપીઓની 2 દિવસના રિમાન્ડ આપ્યા હતા. જેમાંથી 4 આરોપીઓને મેડિકલ સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

સૈયદપુરામાં ગણેશ પંડાલ પર પથ્થરમારા કેસમાં પકડાયેલ આરોપીઓ ખુબ જ સાતિર દિમાગના છે. ઘટના ટાણે ચાલુ રિક્ષામાંથી છ કિશોરોએ પથ્થરમારો કર્યો હતો.અ ઘટનાએ મોટું સ્વરૂપ ધારણ કરતા કોમી તોફાનમાં ફેરવાઈ હતી. હાલ પોલીસના અધિકારીઓએ છ છોકરાઓનું ઈન્ટ્રોગેશન કરી રહી છે. જેમાં છોકરાઓને પોલીસનો કોઈ ખોફ ન હોય તેવું વર્તન છે કરવામાં આવી રહ્યું છે. ઉપરાંત ગોળ-ગોળ વાતો કરી પોલીસને છોકરાઓ ફેરવી રહ્યા છે. પોલીસ હાલ એ તપાસ પણ કરી રહી છે આ તમામ છોકરોઓને આ બધું કોણે શીખવ્યું અને ઉશ્કેરણી કોણે કરી છે.

error: