Satya Tv News

https://www.instagram.com/reel/DAKuR2KA4PZ/?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA==

અંકલેશ્વર રાજપીપલા ચોકડી નજીક યુટર્ન નજીક ત્રીપલ વાહનો વચ્ચે અકસ્માત સર્જાતા બાઇક સવાર બે ઇસમોને ઘટના સ્થળે જ કરુણ મોત નિપજવા પામ્યા હતા.

અંકલેશ્વરના રાજપીપળા ચોકડી પાસે 21 સપ્ટેમ્બરના રોજ એક ભયાનક માર્ગ અકસ્માતમાં બે વ્યક્તિઓના મોત નિપજ્યા છે. આ ઘટના ત્યારે બની જ્યારે ટેમ્પો, ટ્રક અને બાઈક વચ્ચે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. બાઈક પર સવાર વ્યક્તિઓને અકસ્માતમાં ગંભીર ઇજા પહોંચી હતી, અને બંનેની ઘટના સ્થળે જ કરુણ મોત થયા હતા.મળતા સૂત્રો અનુસાર આ અકસ્માત યુ-ટર્ન લેતી વખતે થયો હતો, જ્યારે ટેમ્પો, ટ્રક અને બાઈક વચ્ચે અથડામણ થઈ હતી .બાઈક પર સવાર હતા વસાવા રતિલાલ અને દિનેશ પટેલ. આ બંને વ્યક્તિઓને ગંભીર ઇજા થતાં તેઓના ઘટના સ્થળે જ મોત થયા હતા.અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી અને મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યા. પોલીસ હવે સમગ્ર ઘટનાની વધુ તપાસ કરી રહી છે, અને અન્ય વાહન ચાલકોની ભૂલ તપાસવામાં આવી રહી છે.અંકલેશ્વરના રાજપીપળા ચોકડી પર આ યુ-ટર્ન ખૂબ વ્યસ્ત માર્ગ પર આવેલો છે, અને અહીં અગાઉ પણ ઘણી વાર અકસ્માતો થઈ ચૂક્યા છે.

error: