Satya Tv News

રજનીકાંતની તબિયત સોમવારે મોડી રાતે બગડી હતી. તેમને ચેન્નાઈની એપોલો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પેટમાં દુખાવાની ફરિયાદ બાદ તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. ડૉક્ટરોએ માહિતી આપી કે 73 વર્ષીય અભિનેતાની હાલત સ્થિર છે. હોસ્પિટલના સૂત્રોના જણાવ્યાનુસાર ઇન્ટરવેન્શનલ કાર્ડિયોલોજિસ્ટ ડૉક્ટર સાઈ સતીશની ટીમ દ્વારા અભિનેતાની તપાસ કરવામાં આવી રહી છે.રજનીકાંત આજે હૃદય સંબંધિત કેટલીક સર્જરી કરવામાં આવી શકે છે.

error: