Satya Tv News

વડોદરા કોર્પોરેશનના અણઘડ વહીવટના પાપે આ વર્ષે લોકોને સતત પૂરની સ્થિતિનો સામનો કરવો પડ્યો, જેના કારણે લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો અને નેતાઓને લોકોની વચ્ચે જવુ પણ ભારે પડ્યું હતું. જેથી હવે વેરા માંફીની માંગ ઉઠી રહી છે. લોકોના માથે પૂરની નુકસાની સહન કરવાનો વારો આવ્યો હોવાથી તેઓ વેરો ભરી શકે તેવી સ્થિતિમાં પણ નથી. તો પૂરમાં દુકાનોમાં મોટું નુકસાન થયું હોવાથી વેપારીઓ પણ વેરા માફીની માંગ કરી રહ્યા છે.

error: